ભારત પાકિસ્તાન સામેની મેચમાં પાંચ બોલરો સાથે રમશે? નાસાઉ કાઉન્ટીની પીચ પરથી નક્કી થશે પ્લેઇંગ ઇલેવન

02 June, 2024 02:40 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

T20 World Cup 2024: ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ૯ જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થે, એ પહેલાં જાણી લઈએ કેવી છે સ્ટેડિયમની પીચ

ફાઇલ તસવીર

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ (T20 World Cup 2024) માં તેની એકમાત્ર વોર્મ-અપ મેચમાં ભારત (India) એ બાંગ્લાદેશ (Bangladesh) ને ૬૦ રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને કુલ ૧૮૨ રન બનાવ્યા હતા. ભારત અને બાંગ્લાદેશ ટીમ વચ્ચે રમાયેલી આ મેચ ન્યૂયોર્ક (New York) ના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Nassau County International Cricket Stadium) માં રમાઈ હતી. આ નવું મેદાન T-20 વર્લ્ડ કપ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ જ મેદાન પર આવતા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન (Pakistan) ની મેચ રમાવવાની છે. ત્યારે તેની પીચ અને પાકિસ્તાન સામેની મેચ (India vs Pakistan) માં ભારતની રણનિતી જાણવી જરુરી છે.

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર ૫ જૂને આયર્લેન્ડ (Ireland) સામે અને ૯ જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે, તેથી ભારતે તેની એકમાત્ર વોર્મ-અપ મેચમાં આ પીચ પર બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ કરી છે. આ પીચ પર રમતી વખતે ભારતીય ટીમ વોર્મ-અપ મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે હવે આ પીચને લઈને કેટલીક બાબતો સામે આવી રહી છે જેનાથી ભારતીય ટીમ આગામી મેચોમાં ફાયદો ઉઠાવી શકે છે.

વોર્મ-અપ મેચમાં ભારતીય બોલરોએ આ પીચ પર પોતાની બોલિંગ પ્રતિભા બતાવી છે. આ પીચ પર બોલ અટકીને બેટમાં આવી રહ્યો છે, પીચ ધીમી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના બોલરો અહીંની પીચ પર બોલિંગનો આનંદ માણશે કે શું ફાસ્ટ બોલર કે સ્પિનરો આ પીચનો ફાયદો ઉઠાવવામાં સફળ થઈ શકે છે. અર્શદીપ સિંહ (Arshdeep Singh) એ બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં અદભૂત બોલિંગ કરી હતી અને બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સાથે જ શિવમ દુબે (Shivam Dube) ને પણ બે વિકેટ મળી હતી. આ સિવાય જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) નો બોલ પણ પીચ પર તેની અસર દેખાડી રહ્યો હતો. બુમરાહે ઘણી વખત બેટ્સમેનોને પોતાના બોલથી અચંબામાં મુક્યા હતા. પિચ પર સ્વિંગની સાથે બોલ પણ ડાન્સ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, આશા છે કે આગામી મેચોમાં ભારતીય ટીમ બોલરોના હિસાબે તેની પ્લેઇંગ ઇલેવન પસંદ કરશે.

ભારત પાસે અક્ષર પટેલ (Axar Patel), કુલદીપ યાદવ (Kuldeep Yadav), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) જેવા ખેલાડીઓ છે જેઓ T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે વર્લ્ડ કપની મેચોમાં ભારતની પ્લેયિંગ XI કઈ હશે. જો નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચમાં કોઈ ફેરફાર જોવા ન મળે તો ટીમ મેનેજમેન્ટ ચહલ અને કુલદીપને એકસાથે ઈલેવનમાં સામેલ કરી શકે છે. કમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ પણ ટિપ્પણી કરતા આ વાતની વકીલાત કરી છે. સિદ્ધુનું માનવું છે કે ભારતીય સ્પિનરો આ પીચ પર કરિશ્મા કરી શકે છે. જોકે, વોર્મ અપ મેચમાં ભારતના સ્પિનરો બિનઅસરકારક રહ્યા હતા. પરંતુ પિચનો સ્વભાવ બોલરોને મદદ કરે તેવું લાગે છે.

આ સ્ટેડિયમમાં ૩૪,૦૦૦ દર્શકોની બેઠક ક્ષમતા છે. તે જ સમયે, આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. તે પહેલા ભારત આયર્લેન્ડ સામે મેચ રમશે. આયર્લેન્ડ સામેની મેચ બાદ પીચની સમગ્ર પ્રકૃતિ વિશ્વ ક્રિકેટને જાહેર થશે. પરંતુ જ્યાં સુધી વોર્મ-અપ મેચની વાત છે તો આ પીચ પર બોલરોની અસર જોવા મળી છે, આ પીચ પર બેટ્સમેનો ખુલ્લેઆમ રન બનાવી શક્યા નથી. આવી સ્થિતિમાં, આશા છે કે ભારત આવનારી મેચોમાં પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

તમને જણાવી દઈએ કે, નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલમાં પીચમાં ડ્રોપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એડિલેડ, ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવેલી માટીનો ઉપયોગ પિચ પર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેજી આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે. આ જ કારણ છે કે વોર્મ અપ મેચમાં પણ બોલરોને જબરદસ્ત ઉછાળો મળી રહ્યો હતો. અહીં બોલરોને વધુ ફાયદો મળવાની ઘણી આશા છે.

t20 world cup nassau county international cricket stadium new york india indian cricket team pakistan cricket news sports sports news