વાનખેડેમાં સચિનના સ્ટૅચ્યુનું પહેલી નવેમ્બરે અનાવરણ

21 October, 2023 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્ટૅચ્યુ વાનખેડેમાં સચિન તેન્ડુલકર સ્ટૅન્ડની નજીક મૂકવામાં આવ્યું છે

બૅટિંગ લેજન્ડ સચિન તેન્ડુલકરનું સ્ટૅચ્યુ વાનખેડેમાં સચિનના નામના સ્ટૅન્ડની નજીક મૂકવામાં આવ્યું છે (તસવીર : અતુલ કાંબળે)

ક્રિકેટિંગ ગૉડ, લિટલ ચૅમ્પિયન, માસ્ટર બ્લાસ્ટર, તેન્ડ‍્લ્યા વગેરે નામથી જાણીતા મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરના સ્ટૅચ્યુનું પહેલી નવેમ્બરે (બુધવારે) અનાવરણ કરવામાં આવશે. આ સ્ટૅચ્યુ વાનખેડેમાં સચિન તેન્ડુલકર સ્ટૅન્ડની નજીક મૂકવામાં આવ્યું છે. બીજી નવેમ્બરે વાનખેડેમાં ભારત-શ્રીલંકા વચ્ચેની વર્લ્ડ કપની મૅચ રમાવાની છે. એના આગલા દિવસે સચિનના સ્ટૅચ્યુના અનાવરણ વખતે આખી ભારતીય ટીમ હાજર રહેશે.

wankhede sachin tendulkar cricket news sports sports news