midday

ધોનીએ આખરે મિસ્ટેક માની

18 March, 2025 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2019માં ગુસ્સામાં મેદાન પર આવવાની ઘટનાને પોતાની મોટી ભૂલ ગણાવી
IPL 2019

IPL 2019

IPL 2019માં રાજસ્થાન રૉયલ્સ સામેની એક મૅચ દરમ્યાન અમ્પાયર્સના એક નિર્ણયના વિરોધમાં ચેન્નઈ સુપર કિંગ્સનો એ સમયનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુસ્સામાં પૅવિલિયનથી પિચ તરફ દોડી આવ્યો હતો. આ હરકત બદલ તેની ૫૦ ટકા મૅચ-ફી કાપી લેવામાં આવી હતી અને કૅપ્ટન માટે આવું કરવું નૈતિક રીતે યોગ્ય હતું કે કેમ એ વિશે આખી ચર્ચા શરૂ થઈ હતી.

હાલમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં આ ઘટનાને યાદ કરીને ધોનીએ કહ્યું હતું કે ‘હું મેદાનમાં ચાલ્યો ગયો એ એક મોટી ભૂલ હતી. એટલા માટે જ હું કહું છું કે જ્યારે તમે કોઈ વાતથી ખુશ ન હો, જ્યારે તમે થોડા ગુસ્સામાં કે હતાશ હો ત્યારે તમારું મોં બંધ રાખો, થોડા સમય માટે ત્યાંથી દૂર ચાલ્યા જાઓ, ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. એ પ્રેશરનો સામનો કરવા જેવું છે. જો તમે રિઝલ્ટના પરિણામથી પોતાને દૂર કરી શકો તો એ મદદ કરે છે. તમારી લાગણીએ ક્યારેય તમારા નિર્ણય લેવા પર અસર ન કરવી જોઈએ.’

sports news sports cricket news indian cricket team ms dhoni mahendra singh dhoni