13 February, 2024 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇશાન કિશન
મુંબઈ : ભારતીય ક્રિકેટર ઈશાન કિશન ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૪ પહેલાં ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે. મુંબઈમાં રમાનારી ડીવાય પાટીલ ટુર્નામેન્ટમાં તે ક્રિકેટના મેદાનમાં ઊતરશે. મળતી માહિતી પ્રમાણે ઈશાન કિશને પૂરતી તૈયારીના અભાવે રણજી ટ્રોફીમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઈશાન કિશને પરિવારજનોને સમય આપવા માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો, કારણ કે તે ઘણા લાંબા સમયથી ટીમ સાથે હોવાને કારણે પરિવારને સમય આપી શક્યો નહોતો.