ભારતના જીતવાના ચાન્સ માત્ર ૧.૬૦ ટકા હતા એ પછી પણ મૅચ ટાઇ થઈ

01 August, 2024 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપર ઓવરમાં બાજી મારીને સૂર્યકુમાર ઍન્ડ કંપનીએ શ્રીલંકા સામે કરી ક્લીન સ્વીપ: સૂર્યકુમાર યાદવે આ ફૉર્મેટમાં પાંચમી વાર પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો

ગઈ કાલે T20 સિરીઝ જીતી ગયા બાદ ખુશખુશાલ ભારતીય ટીમ

સુપર ઓવરની રોમાંચક જીત સાથે ભારતીય ટીમે ત્રણ મૅચની T20 સિરીઝમાં ૩-૦થી શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરી હતી. ૯ વિકેટ ગુમાવીને ભારતીય ટીમે ૧૩૭ રન કર્યા હતા, જેની સામે શ્રીલંકન ટીમ પણ ૮ વિકેટ ગુમાવીને ૧૩૭ રન બનાવી શકી. મૅચ ટાઇ થતાં સુપર ઓવરમાં ભારતીય ટીમે શ્રીલંકાના બે બૅટર્સને બે રનમાં આઉટ કર્યા હતા. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ સાથે ઊતરેલા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા જ બૉલે ચોગ્ગો ફટકારી ટીમને યાદગાર જીત અપાવી હતી.

ભારત સામેની ત્રીજી T20 મૅચ જીતવા માટે શ્રીલંકાને અંતિમ ૩૦ બૉલમાં ૩૦ રનની જરૂર હતી અને એ વખતે એની એક જ વિકેટ પડી હતી. ભારતની જીતના ચાન્સ માત્ર ૧.૬૦ ટકા જ હતા પણ સતત ત્રીજી મૅચમાં શ્રીલંકાની બૅટિંગ લાઇનઅપ ધરાશાયી થતાં જીત ભારતના પક્ષમાં આવી હતી. ત્રીજી મૅચમાં શ્રીલંકાએ ૪.૨ ઓવરમાં બાવીસ રનની અંદર સાત વિકેટ ગુમાવી હતી. આ પહેલાં પહેલી મૅચમાં ૬ ઓવરમાં ૩૦ રનની અંદર ૯ વિકેટ અને બીજી મૅચમાં પાંચ ઓવરમાં ૩૧ રનની અંદર સાત વિકેટ ગુમાવી હતી.

સિરીઝની વિજેતા ટ્રોફી અને પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી સાથે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ

પચીસ રન બનાવીને બે વિકેટ લેનાર ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. સિરીઝમાં ૯૨ રન બનાવનાર કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પાંચમી વાર T20 ઇન્ટરનૅશનલમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો. ભારતની શ્રીલંકા સામે આ બાવીસમી જીત હતી. સતત ત્રીજી હાર સાથે શ્રીલંકાની ટીમ T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ ૧૦૫ મૅચ હારનારી ટીમ બની છે.

સૌથી વધુ T20 ઇન્ટરનૅશનલ મૅચ હારનારી ટીમ બની શ્રીલંકા

શ્રીલંકા

૧૦૫

બંગલાદેશ

૧૦૪

વેસ્ટ ઇન્ડીઝ

૧૦૧

ન્યુ ઝીલૅન્ડ

૯૯

ઝિમ્બાબ્વે

૯૯

india sri lanka indian cricket team t20 international t20 wt20 world t20 suryakumar yadav shubman gill yashasvi jaiswal sanju samson rinku singh riyan parag shivam dube Rishabh Pant hardik pandya axar patel washington sundar ravi bishnoi arshdeep singh mohammed siraj cricket news sports sports news