વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં પરત ફરવું એ પુનર્જન્મ જેવું લાગે છે

08 October, 2024 12:00 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

લેગ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ લગભગ ત્રણ વર્ષ પછી ભારતીય ટીમમાં પુનરાગમન કરીને બંગલાદેશ સામે ચાર ઓવરમાં ૩૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.

વરુણ ચક્રવર્તી અને સૂર્યકુમાર યાદવ

લેગ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ લગભગ ત્રણ વર્ષ પછી ભારતીય ટીમમાં પુનરાગમન કરીને બંગલાદેશ સામે ચાર ઓવરમાં ૩૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ૩૩ વર્ષના આ સ્પિનરે કહ્યું હતું કે ‘ટીમમાં પરત ફરીને સારું લાગે છે. હું ઇમોશનલ હતો અને એ મને પુનર્જન્મ જેવું લાગ્યું. IPL પછી હું કેટલીક ટુર્નામેન્ટ રમ્યો અને આર. અશ્વિન સાથે તામિલનાડુ પ્રીમિયર લીગ જીત્યો એનાથી મારું મનોબળ વધ્યું. સાઇડ સ્પિનને બદલે ઓવરસ્પિન પર ફોકસ કરવું ફાયદાકારક સાબિત થયું. એ સ્પિન બોલિંગનું એક સૂક્ષ્મ ટેક્નિકલ પાસું છે, પરંતુ મને એમાં નિપુણતા મેળવવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો. મેં શક્ય એટલી વધુ ઘરેલુ ક્રિકેટ રમવાને પ્રાથમિકતા આપી અને એનાથી મને મદદ મળી.’

india bangladesh madhya pradesh ravichandran ashwin indian cricket team t20 international cricket news sports news sports