ભારતીય ટીમમાં સિલેક્ટ થવા માટે અભિનેત્રી સાથે રિલેશન, ટૅટૂ અને ખરાબ છબિ જરૂરી છે

22 July, 2024 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુબ્રમણ્યમ બદરીનાથે સિલેક્શન કમિટી પર કર્યો કટાક્ષ

સુબ્રમણ્યમ બદરીનાથ

ઝિમ્બાબ્વે ટૂર પર ટૉપ સ્કોરર રહેલા અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડને શ્રીલંકા ટૂરમાં સ્થાન ન મળતાં સિલેક્શન કમિટી પર સવાલ ઊઠી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ભારત અને ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી ક્રિકેટ રમનાર ભૂતપૂર્વ તામિલ ક્રિકેટર સુબ્રમણ્યમ બદરીનાથ પણ શ્રીલંકા ટૂર પર થયેલા સિલેક્શનથી ખુશ નથી. એક ઇન્ટરવ્યુમાં સિલેક્શન કમિટી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે ‘જ્યારે રિન્કુ સિંહ, ઋતુરાજ ગાયકવાડ અને તેમના જેવા અન્ય ખેલાડીઓને ભારતીય ટીમ માટે સિલેક્ટ કરવામાં આવતા નથી, ત્યારે ક્યારેક એવું લાગે છે કે તમારે ખરાબ વ્યક્તિ તરીકેની છબિની જરૂર છે. એવું લાગે છે કે તમારે બૉલીવુડ અભિનેત્રી સાથે રિલેશનશિપમાં રહેવાની, એક સારો મીડિયા મૅનેજર રાખવાની અને શરીર પર ટૅટૂ બનાવવાની જરૂર છે તો જ તમને ટીમમાં સ્થાન મળશે.’

sri lanka indian cricket team ruturaj gaikwad abhishek sharma india cricket news sports sports news