IPL પહેલા રણજી મામલે બીસીસીઆઈએ આ ક્રિકેટર્સનો લીધો ઉધડો

13 February, 2024 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓને સંકેતોમાં કડક સંદેશ આપ્યો છે. IPL શરૂ થતા પહેલા પોતાનો સમય વેડફતા અનેક સ્ટાર ખેલાડીઓને અનુશાસનની દ્રષ્ટિએ રાજ્ય ટીમમાં ભાગીદારી ફરજિયાત કરી દીધી છે.

બીસીસીઆઈ માટે વાપરવામાં આવેલી તસવીર

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓને સંકેતોમાં કડક સંદેશ આપ્યો છે. IPL શરૂ થતા પહેલા પોતાનો સમય વેડફતા અનેક સ્ટાર ખેલાડીઓને અનુશાસનની દ્રષ્ટિએ રાજ્ય ટીમમાં ભાગીદારી ફરજિયાત કરી દીધી છે. (BCCI Mandates Ranji Trophy)

એવામાં આ ખેલાડીઓ રણજી ટ્રૉફીના આગામી રાઉન્ડમાં રમતા જોવા મળશે. અનેક ખેલાડીઓએ તાજેતરમાં જ કહ્યા છતાં રણજી ક્રિકેટનો એક રીતે બૉયકોટ કર્યો હતો.

BCCI Mandates Ranji Trophy: બીસીસીઆઈ અને રાષ્ટ્રીય પસંદગીકારોએ હવે આ મામલે કડકતા દાખવી છે. કેટલાક ખેલાડીઓને સોમવારે ઈમેલ દ્વારા જણાવવામાં આવેલ આ નિર્દેશ, જેઓ હાલમાં રાષ્ટ્રીય ટીમનો ભાગ નથી અથવા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસન હેઠળ છે તેમને લાગુ પડે છે.

આ ખેલાડીઓ માટે તાત્કાલિક અસરથી 16મી ફેબ્રુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફી મેચોના આગામી રાઉન્ડ માટે પોતપોતાની રાજ્યની ટીમો સાથે જોડાવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ અંગે બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, `ખેલાડીઓ માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અથવા આઈપીએલને જ પ્રાથમિકતા આપી શકતા નથી, તેઓએ પોતાની જાતને સ્થાનિક ક્રિકેટ માટે ઉપલબ્ધ રાખવી પડશે અને પોતપોતાની રાજ્યની ટીમો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું પડશે.

ઈશાન કિશનને કડક સંદેશ મળ્યો
આ નિયમ લાગુ થવાથી ઈશાન કિશન જેવા ખેલાડીઓ પર અસર થશે, જેણે આઈપીએલ 2024ની તૈયારી માટે સ્પર્ધાત્મક ક્રિકેટ છોડી દીધી છે. આ દાવો તાજેતરના ક્રિકબઝ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. તાજેતરમાં, તે IPL માટે બરોડામાં તાલીમ લઈ રહ્યો છે, જ્યારે તેની હોમ ટીમ ઝારખંડ જમશેદપુરમાં રાજસ્થાન સામે રમવાની છે.

કૃણાલ પંડ્યા, દીપક ચહર પણ રણજી નથી રમી રહ્યા
BCCI Mandates Ranji Trophy: જોકે, આ નિર્ણય સંપૂર્ણપણે ઈશાનનો નથી. તેનો વ્યાપ કૃણાલ પંડ્યા અને દીપક ચહર જેવા અન્ય ખેલાડીઓ સુધી પણ વિસ્તરેલો છે, જેઓ રણજી ટ્રોફી મેચોમાં નિષ્ક્રિય રહ્યા છે. શ્રેયસ અય્યર પણ આ કડકાઈ હેઠળ છે. જે ખરાબ ફોર્મના કારણે રાષ્ટ્રીય ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

ઈશાન કિશને વધાર્યું ટેન્શન
ઈશાન કિશન (Ishan Kishan) લાંબા સમયથી સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી ગાયબ છે, જેના કારણે ભારતીય ક્રિકેટમાં તણાવ વધી ગયો છે. દક્ષિણ આફ્રિકાની શ્રેણી દરમિયાન ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ રણજી ટ્રોફીમાં ઝારખંડ તરફથી રમવાનો ઇનકાર કરવાના તેના નિર્ણયની ટીકા થઈ છે. આ ટીકા છતાં ઈશાન આઈપીએલની તૈયારીઓ પર ધ્યાન આપવાના પોતાના નિર્ણય પર અડગ છે.

આવી હતી ઈશાન કિશનની કરિયર
ઈશાન કિશન થોડા સમય પહેલા સુધી ટીમ ઈન્ડિયાનો ઓલ ફોર્મેટ પ્લેયર હતો, તેણે તમામ ફોર્મેટમાં (2 ટેસ્ટ, 27 ODI, 32 T20I) ઘણી મેચ રમી છે, જેમાં તેણે અનુક્રમે 78 રન, 933 રન, 796 રન બનાવ્યા છે... ટેસ્ટમાં 5 કેચ, ODIમાં 15 અને T20માં 16 શિકાર છે. તે છેલ્લીવાર ODI વર્લ્ડ કપ દરમિયાન દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમ્યો હતો, જ્યારે છેલ્લી T20 ઓસ્ટ્રેલિયા સામે ગુવાહાટીમાં રમ્યો હતો.

board of control for cricket in india krunal pandya deepak chahar ishan kishan cricket news ranji trophy sports news sports