અમિતાભે સ્ટેડિયમમાં ફટાકડા ન ફોડવાના નિર્ણય બદલ જય શાહની ખૂબ પ્રશંસા કરી

04 November, 2023 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જય શાહે ત્રણ દિવસ પહેલાં નિર્ણયની જાહેરાતમાં જણાવ્યું હતું કે ‘પર્યાવરણની બાબતમાં ભારતીય ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ખૂબ ચિંતિત છે અને એટલે જ આ આખી બાબતને  વર્લ્ડ કપના મુખ્ય આયોજક આઇસીસી સમક્ષ લઈ જવામાં આવી છે.’

અમિતાભે સ્ટેડિયમમાં ફટાકડા ન ફોડવાના નિર્ણય બદલ જય શાહની ખૂબ પ્રશંસા કરી

પાટનગર દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણનું લેવલ ખૂબ વધી રહ્યું હોવાથી બન્ને શહેરનાં સ્ટેડિયમમાં સેલિબ્રેશન માટે કોઈ પણ પ્રકારના ફટાકડાનો ઉપયોગ ન કરવાના નિર્ણયની બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ જે જાહેરાત કરી એ બદલ બૉલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહની પ્રશંસા કરી છે.
જય શાહે ત્રણ દિવસ પહેલાં નિર્ણયની જાહેરાતમાં જણાવ્યું હતું કે ‘પર્યાવરણની બાબતમાં ભારતીય ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ખૂબ ચિંતિત છે અને એટલે જ આ આખી બાબતને 
વર્લ્ડ કપના મુખ્ય આયોજક આઇસીસી સમક્ષ લઈ જવામાં આવી છે.’ બિગ બીએ ટ‍્વિટર પર જય શાહની આ જાહેરાતને વિશ્વસનીય ગણાવીને બિરદાવી હતી.

sports news cricket news amitabh bachchan