કુંવારાઓની મનોકામના પૂરી થાય છે મધ્ય પ્રદેશના આ મંદિરમાં

02 April, 2024 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના નીમચમાં આવેલા આ દેવનાં દર્શન માટે દૂર-દૂરથી લગ્નવાંછુ યુવક-યુવતીઓ આવે છે.

મધ્ય પ્રદેશનું કુંવારાં યુવક-યુવતીઓની મનોકામના પૂરી કરતું મંદિર

જો કુંવારાંઓ ‘અમારું કોઈ નથી’ એવી ફરિયાદ કરતાં હોય તો તેઓ થાપ ખાય છે. મધ્ય પ્રદેશમાં કુંવારાં યુવક-યુવતીઓની મનોકામના પૂરી કરતું મંદિર છે. આ નાનકડા મંદિરમાં બિરાજતા બિલ્લમ બાઉજી નામના દેવતાનાં દર્શન કર્યા પછી જલદી લગ્ન થઈ જાય છે એવી માન્યતા છે. મધ્ય પ્રદેશના નીમચમાં આવેલા આ દેવનાં દર્શન માટે દૂર-દૂરથી લગ્નવાંછુ યુવક-યુવતીઓ આવે છે. દેવતાનાં દર્શન કરવા માટે એવા લોકો પણ આવે છે જેમની મનોકામના પૂરી થઈ ગઈ હોય છે. સોશ્યલ મીડિયા પર એક યુઝરે આ મંદિરનો વિડિયો પોસ્ટ કર્યો હતો. અન્ય એક યુઝરે મજાની કમેન્ટ કરતાં લખ્યું હતું, ‘પોપટલાલને આ મંદિરે જલદી મોકલો...’

offbeat videos offbeat news madhya pradesh