સપનામાં કૃષ્ણ ભગવાન આવ્યા એટલે યુવક નામ બદલીને કેશવ બની ગયો

19 October, 2024 02:19 PM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

તેણે ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરીને સનાતન ધર્મ અપનાવ્યો છે.

હેન્રિક્સ નામનો યુવક હવે કેશવ બન્યો

યુરોપના લિથુઆનિયાનો હેન્રિક્સ નામનો યુવક હવે કેશવ બની ગયો છે. સનાતન ધર્મની વિશાળતા અને ઊંડાણથી આકર્ષાઈને તેણે ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરીને સનાતન ધર્મ અપનાવ્યો છે. હેન્રિક્સે સનાતની બનવા પાછળનું કારણ જણાવતાં કહ્યું કે ‘૨૦૨૧માં માર્ગ-અકસ્માત થયો હતો એમાં મને ગંભીર ઈજા થઈ હતી. એ સમયે મને સપનામાં ભગવાન શ્રીકૃષ્ણએ દર્શન આપ્યાં હતાં. ભગવાનનાં દર્શન માત્રથી મારામાં ભાવ જાગ્યો અને મેં ભગવદ્ગીતા વાંચવાનું શરૂ કર્યું. એ પછી ગીતાજ્ઞાન મેળવીને સનાતન ધર્મ અપનાવવાની ઇચ્છા જાગી એટલે હું લિથુઆનિયાથી વારાણસી પહોંચ્યો. અહીં છોટી ગેબીસ્થિત બ્રહ્મ નિવાસમાં વિધિપૂર્વક પૂજન અને હવન કરીને મેં સનાતન ધર્મ અપનાવ્યો. એટલે હવે હેન્રિક્સમાંથી કેશવ બની ગયો છું અને મારું ગોત્ર કશ્યપ થઈ ગયું છે.’

offbeat news europe international news world news