ભંગારમાંથી બનાવ્યું રામ મંદિર અને ગાંધીજીનો ચરખો

11 October, 2024 06:08 PM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

આગરાની શેરીઓમાં હવે રામ મંદિર, ડમરુ અને ચરખા જેવી કલાત્મક રચનાઓ જોવા મળે છે, જે સ્થાનિક કલાકારો દ્વારા સ્ક્રેપ અને ઈ-વેસ્ટમાંથી બનાવેલ છે, જે પર્યાવરણને અનુકૂળ શહેરને પ્રોત્સાહન આપે છે.

ગાંધીજીનો ચરખો

આગરા ફરવા જાઓ તો ત્યાં ચાર રસ્તા પર નોખા પ્રકારનો ભારતનો નકશો જોવા મળશે, રામ મંદિર, શંકર ભગવાનનું ડમરુ, ગાંધીજીનો ચરખો, સ્વચ્છ ભારત અભિયાનનો લોગો, અમર જવાન જ્યોતિ વગેરે કલાકૃતિઓ પણ જોવા મળશે. આ બધી કલાકૃતિઓ હોર્ડિંગની ફ્રેમ, બગડી ગયેલી ગાડીઓ, સ્ટ્રીટલાઇટ અને પાઇપ જેવા ભંગારમાંથી બની છે. આગરા નગરપાલિકાએ શહેરને સુંદર બનાવવા માટે કરેલી પહેલ પર્યાવરણના જતન માટે પણ કામ લાગી ગઈ છે. આખા શહેરમાંથી નીકળેલા ઈ-વેસ્ટ સહિતના કચરામાંથી કલાકાર સરફરાઝ અલી અને ફિરોઝ ખાને આ બધી કૃતિઓ બનાવી છે.

agra mahatma gandhi swachh bharat abhiyan india social media offbeat news