રેલ-અકસ્માતોની ‘રેલ’ ન નીકળે એટલે બિહારમાં પાટાની પૂજા

01 August, 2024 11:07 AM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

કાર્યકરોએ હાથમાં પ્રાર્થના લખેલાં પોસ્ટર લઈને સૂત્રો પણ પોકાર્યાં હતાં.

રેલવે ટ્રેક પર પૂજા

પહેલાં ઝારખંડમાં પછી બિહારમાં ટ્રેન-અકસ્માતો થયા. જૂન અને જુલાઈના બે મહિનામાં જ ટ્રેન-દુર્ઘટનાની ચાર ઘટના બની છે. ઝારખંડમાં જમશેદપુરથી ૮૦ કિલોમીટર દૂર પાટા પરથી ખડી ગયેલી માલગાડી સાથે મુંબઈ-હાવડા મેલ અથડાઈ હતી અને ૧૮ ડબા પાટા પરથી ઊતરી જતાં બે યાત્રીનાં મૃત્યુ થયાં હતાં. એના થોડા દિવસ પહેલાં ગોંડામાં ચંડીગઢ-દિબ્રૂગઢ એક્સપ્રેસ ખડી પડતાં ચાર મુસાફર મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતોની વણઝાર આગળ ન વધે એવી ભાવનાથી બિહારસ્થિત વૈશાલી જિલ્લાના હાજીપરમાં વિચિત્ર પૂજા થઈ ગઈ. રાષ્ટ્રીય જનતા દળના કાર્યકરો એક પૂજારીને રેલવે ટ્રૅક પર લઈ ગયા. પૂજારીએ ત્યાં મંત્રોચ્ચાર કર્યા અને હવે પછી રેલ-અકસ્માતની ‘રેલ’ ન નીકળે એ માટે ભગવાનને પ્રાર્થના કરી. કાર્યકરોના મતે ભગવાન વિશ્વકર્મા અને ભોળાનાથ જ આ ટ્રેન-દુર્ઘટનાઓથી બચાવી શકે એમ છે. જોકે પૂજા કરાવનારા રાજકીય કાર્યકરો હતા એટલે થોડીઘણી શોબાજી તો હોય જ. કાર્યકરોએ હાથમાં પ્રાર્થના લખેલાં પોસ્ટર લઈને સૂત્રો પણ પોકાર્યાં હતાં.

offbeat news jharkhand train accident