18 October, 2024 04:02 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બમભોલા નામના ભિક્ષુક અંધ હોવાથી સુરદાસના નામે આળખાય છે
તમે ટ્રેનમાં ક્યાંક જતા હો અને કોઈ ભિખારી તમારી પાસે ભીખ માગે તો એવું નહીં સમજતા કે એ બિચારો છે. બની શકે કે એ ગરીબ અને બિચારો ન પણ હોય, કારણ કે ઘણા ભિખારી ભીખ માગી-માગીને ગાડી-બંગલાવાળા બની જતા હોય છે. બિહારમાં આવા જ એક ભિખારી છે. બમભોલા નામના ભિક્ષુક અંધ હોવાથી સુરદાસના નામે આળખાય છે. એ દરભંગા અને મધુબની સ્ટેશનો વચ્ચે ટ્રેનમાં ફરીફરીને ભીખ માગે છે પણ તેમની ત્રણ રિક્ષા ભાડે ફરે છે. પચીસ વર્ષ પહેલાં તેમની પાસે કાંઈ જ નહોતું ત્યારે તેમણે ભીખ માગવાનું શરૂ કર્યું હતું અને ભીખ માગીને જ ત્રણ રિક્ષા ભાડે ચલાવવા જેટલા સધ્ધર થયા છે એવું તેમનું કહેવું છે. બમભોલા તો કહે છે કે હું આજે જે કાંઈ છું એ ભીખ માગીને જ થયો છું, હું જીવીશ ત્યાં સુધી ભીખ માગીશ.