19 September, 2024 03:33 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
સચિનકુમાર
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં વિચિત્ર કારણથી પોલીસ-અધિકારી આપઘાત કરવા રેલવે-ટ્રૅક પર સૂઈ ગયો હતો. જોકે સાથી કર્મચારીઓને ખબર પડી એટલે સમજાવીને પાછા લઈ આવ્યા અને મામલો થાળે પડ્યો હતો. બન્નાદેવી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સચિનકુમારે બાઇકચોર ગૅન્ગના પાંચ સાગરીત પકડ્યા હતા અને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. ઇન્સ્પેક્ટરે એવો આક્ષેપ કર્યો છે કે તેમને સાંજના પાંચ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી બાઇકચોરો સાથે ઊભા રખાયા હતા. દર ૧૦ મિનિટે મૅજિસ્ટ્રેટ વિશ્રામગૃહમાં બોલાવતા અને અશ્લીલ ભાષા વાપરતા અને ખોટી રીતે પકડ્યાનો આરોપ પણ મૂક્યો હતો. આ વાતથી લાગી આવ્યું અને સચિનકુમાર આપઘાત કરવા રેલવે-ટ્રૅક પાસે પહોંચી ગયા હતા.