તિરુવનંતપુરમથી મુંબઈ આવતી ફ્લાઇટમાં બૉમ્બની ધમકી

29 June, 2024 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એથી ફ્લાઇટની અને પૅસેન્જર્સના લગેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

​વિસ્તારા ઍરલાઇન્સની ગઈ કાલે તિરુવનંતપુરમથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. એથી ફ્લાઇટની અને પૅસેન્જર્સના લગેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ફ્લાઇટના ક્રૂ-મેમ્બરને પ્લેનમાં એક ​ચિઠ્ઠી મળી હતી જેમાં લખેલું હતું કે ફ્લાઇટમાં બૉમ્બ મુકાયો છે. એથી એની જાણ પાઇલટને કરવામાં આવતાં ગ્રાઉન્ડ સ્ટાફને અને ​પોલીસને આની જાણ કરવામાં આવી હતી. બપોરે ૩.૧૫ વાગ્યે ફ્લાઇટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ હતી. એ પછી પૅસેન્જરોને એ વિશે જાણ કરવામાં આવી હતી. તેમની અને તેમના સામાન સહિત ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી, પણ કશું શંકાસ્પદ મળ્યું નહોતું. 

national news Vistara mumbai