કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોના વાહન પર આતંકી હુમલો, પાંચ ઍરફોર્સના જવાનો ઘાયલ

04 May, 2024 09:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેના (IAF) વાહન સહિત સુરક્ષા દળોના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે

પ્રતીકાત્મક તસવીર

Terrorist Attack on Security Forces: શનિવારે, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેના (IAF) વાહન સહિત સુરક્ષા દળોના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલો શશિધર નજીક સાંજે થયો જ્યારે સુરક્ષા દળોના વાહનો જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ આગળ વધી રહ્યા હતા. આ હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, વધારાના સૈન્ય અને પોલીસ કર્મચારીઓને વિસ્તારમાં દોડી આવ્યા છે અને આતંકવાદીઓને શોધવા અને તેમને ખતમ કરવા માટે મોટા પાયે સર્ચ અને કોર્ડન ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બંદૂકધારીઓએ સરકારી શાળા નજીક એમઈએસ અને આઈએએફ વાહન પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ ગોળીબાર અનંતનાગ-રાજૌરી-પૂંચ લોકસભા મતવિસ્તારમાં થયો હતો, જ્યાં ચૂંટણી પંચ દ્વારા મતદાન ફરીથી નક્કી કરવામાં આવ્યું છે. હવે 25મી મેના રોજ મતદાન થશે.

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ

સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે અને ત્યાંથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. “ભારતીય આર્મી-13 આરઆર, બાંદીપોરા પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 3જી બટાલિયન દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન, ઉત્તર કાશ્મીર જિલ્લા અરગામના ચાંગાલી જંગલ,” બાંદીપોરા પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં એક આતંકવાદી છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કાયદાની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરને જલદી જ મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો: પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા કરી મોટી જાહેરાત

દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (12 એપ્રિલ) ચૂંટણી પ્રચાર માટે ઉધમપુર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને તેના રાજ્યનો દરજ્જો પાછો મળશે અને તે સમય દૂર નથી જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ભારતીય જનતા પાર્ટીએ ઉધમપુરથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “કૉંગ્રેસની નબળી સરકારોએ શાહપુર કાંડી ડેમને 10 વર્ષ સુધી પેન્ડિંગ રાખ્યો, જેના કારણે જમ્મુના ગામડાઓ સુકાઈ ગયા હતા. કૉંગ્રેસના જમાનામાં રાવીમાંથી નીકળતું પાણી આપણા હકનું હતું તે પાકિસ્તાનમાં જતું હતું, જ્યારે લોકોને તેમની વાસ્તવિકતા ખબર પડી, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભ્રમનું જાળ હવે ચાલતું નથી.”

ભ્રષ્ટાચાર પણ મુદ્દો

પીએમ મોદીએ કહ્યું કે, “ગયા 10 વર્ષમાં અમે આતંકવાદીઓ અને ભ્રષ્ટાચારીઓ પર લગામ લગાવી છે અને હવે આવનારા 5 વર્ષમાં આપણે આ રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે. છેલ્લાં 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. સૌથી મોટી વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરનું મન બદલાઈ રહ્યું છે.”

jammu and kashmir terror attack india national news indian air force indian army