ભારતના મુખ્ય ન્યાયાધીશે કહ્યું, વકીલ બનવું છે તો ભણો ભાઈ

10 July, 2024 02:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં કટ-ઑફ માર્ક્સને ઓછા કરવાની અપીલ ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે ફગાવી દીધી છે.

ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ

ઑલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં કટ-ઑફ માર્ક્સને ઓછા કરવાની અપીલ ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે ફગાવી દીધી છે. ઓપન કૅટેગરી માટે હાલમાં કટ-ઑફ માર્ક્સ ૪૫ ટકા અને SC/ST માટે ૪૦ ટકા રાખવામાં આવી છે. આ કટ-ઑફ માર્કને ઘટાડી અનુક્રમે ૪૦ અને ૩૫ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ પિટિશનને ચીફ જસ્ટિસ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વકીલોની ગુણવત્તા પર અસર પડશે એ હેતુથી આ અરજીને રિજેક્ટ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ કહે છે, ‘ઑલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ઓપન કૅટેગરી માટે હાલમાં કટ-ઑફ માર્ક્સ ૪૫ ટકા અને SC/ST માટે ૪૦ ટકા રાખવામાં આવી છે. આટલા સ્કોર પણ ન કરી શકે તો તેઓ કેવી રીતે વકીલ બનશે? તમે લોકો એને અનુક્રમે ૪૦ અને ૩૫ કરવા કહો છો. વકીલ બનવું હોય તો ભણો ભાઈ.’

supreme court national news Education new delhi life masala