અનંત ચતુર્દશીએ ઉત્તર પ્રદેશમાં કતલખાનાં, માંસ વેચતી દુકાનો બંધ

15 September, 2024 05:33 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

જૈન સમાજની વિનંતીને માન્ય રાખીને યોગી આદિત્યનાથની સરકારનો નિર્ણય

યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના જૈન સમુદાયે કરેલી વિનંતીના પગલે યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લઈને ૧૭ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીએ રાજ્યમાં તમામ કતલખાનાં અને માંસ-મટન વેચતી દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

જૈન સમાજે પ્રશાસનને વિનંતી કરી હતી કે એ દિવસે જૈન ભાવિકો માટે મોટું દશલક્ષણ પર્વ છે અને એ દિવસે રાજ્યમાં તમામ કતલખાનાં અને માંસ-મટનનું વેચાણ કરતી દુકાનો બંધ રાખવામાં આવે.

જૈન ભાવિકોની વિનંતીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે તથા આ નિર્ણયનું અસરકારક રીતે આખા રાજ્યમાં પાલન થાય એ માટે તમામ સંબંધિત અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

નગર વિકાસ ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ જૈન ધર્મના અનુયાયીઓનું સર્વોચ્ચ પર્વ દશલક્ષણ છે જેની શરૂઆત ૮ સપ્ટેમ્બરથી થઈ હતી અને એનું સમાપન અનંત ચતુર્દશીએ ૧૭ સપ્ટેમ્બરે થશે. ઉત્તર પ્રદેશમાં રહેતા લાખો જૈન લોકો માટે આ એક પ્રમુખ પર્વ છે જેને લાખો જૈન ભાવિકો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મનાવે છે.

national news uttar pradesh ganesh chaturthi jain community india