25 May, 2024 08:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મેધા પાટકર
નર્મદા બચાઓ આંદોલનનાં નેતા અને વરિષ્ઠ સામાજિક કાર્યકર મેધા પાટકરને દિલ્હીની સાકેત કોર્ટે ગઈ કાલે ૨૪ વર્ષ પહેલાંના બદનક્ષીના કેસમાં દોષી ઠેરવ્યાં હતાં. દિલ્હીના અત્યારના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ દાખલ કરેલા માનહાનિના કેસમાં કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે કહ્યું હતું કે મેધા પાટકરે IPCની કલમ ૫૦૦ અંતર્ગત દંડનીય ગુનો કર્યો હોવાથી દોષી ઠરે છે. મેધા પાટકરે વી. કે. સક્સેનાની બદનામી થાય એવાં નિવેદનો કરવાની સાથે તેમના પર હવાલાનો વ્યવહાર કરવાનો ખોટો આરોપ કર્યો હતો. કોર્ટે મેધા પાટકરના વી. કે. સક્સેના સામેનાં તમામો નિવેદન અને દાવાને ફગાવી દીધાં હતાં.