રાહુલ ગાંધીની મુશ્કેલી વધી: હવે આસામના CM દાખલ કરશે માનહાનિનો કેસ

09 April, 2023 09:07 PM IST  |  Dispur | Gujarati Mid-day Online Correspondent

સીએમ હિમંતાએ કહ્યું છે કે, “રાહુલ ગાંધીએ જે પણ ટ્વીટ કર્યું છે તે બદનક્ષી હેઠળ આવે છે."

ફાઇલ તસવીર

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની મુશ્કેલીઓ વધી રહી છે. હવે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવા જઈ રહ્યા છે. હિમંતાએ કહ્યું છે કે તે અદાણીના ટ્વીટને લઈને રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.

સીએમ હિમંતાએ કહ્યું છે કે, “રાહુલ ગાંધીએ જે પણ ટ્વીટ કર્યું છે તે બદનક્ષી હેઠળ આવે છે. એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ પૂરો કરીને દૂર જશે તો અમે તેમને જવાબ આપીશું. ચોક્કસપણે આના પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે. હિમંતાએ ગુવાહાટીમાં આ વાત કહી હતી.

કેજરીવાલ વિશે પણ નિવેદન આપ્યું

સીએમ હિમંતાએ દિલ્હીના સીએમ કેજરીવાલ વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે “હું હજુ પણ અરવિંદ કેજરીવાલના આમંત્રણની રાહ જોઈ રહ્યો છું.” અગાઉ કેજરીવાલે સીએમ સરમા પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે “આસામની જનતાએ દરેક રાજકીય પક્ષને તક આપી છે, છતાં કોઈ ફેરફાર થયો નથી.”

તેમણે કહ્યું હતું કે “આસામની વર્તમાન સરકાર 2014માં સત્તામાં આવી હતી અને આપણી AAP 2015માં દિલ્હીમાં સત્તામાં આવી હતી. દિલ્હીનો આટલો વિકાસ થયો છે, પરંતુ આસામ હજી વિકસિત નથી. સીએમ હિમંતે માત્ર નફરતની રાજનીતિ કરી છે.”

ઉલ્લેખનીય છે કે દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કોલારમાં 10 એપ્રિલે યોજાનાર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે અને હવે તે 16 એપ્રિલે યોજાશે. કૉંગ્રેસના કર્ણાટક એકમના અધ્યક્ષ ડીકે શિવકુમારે શનિવારે આ માહિતી આપી હતી. શિવકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે “ રાહુલ ગાંધીએ 10 એપ્રિલે તે જ સ્થળેથી લોકોને સંબોધવાની યોજના બનાવી હતી, જ્યાં તેમને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમના ભાષણ માટે અદાલત દ્વારા ગુનાહિત માનહાનિનો દોષી ઠેરવ્યા બાદ સંસદના નીચલા ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાજધાની એક્સપ્રેસમાં અચાનક નીકળવા લાગ્યો ધુમાડો, પ્રવસીઓમાં ફેલાયો ગભરાટ

જો કે, પાર્ટીના નેતાઓએ તેમને વિધાનસભાની ચૂંટણીની કામગીરી અને ઉમેદવારોની પસંદગીને કારણે કાર્યક્રમ એક સપ્તાહ મોકૂફ રાખવા વિનંતી કરી હતી. શિવકુમારે કહ્યું, “અમે રાહુલ ગાંધીને જાહેર સભા એક અઠવાડિયા માટે સ્થગિત કરવા વિનંતી કરી હતી અને તેમણે સંમતિ આપી હતી. ગાંધી અને તમામ નેતાઓ 16 એપ્રિલે `જય ભારત` કાર્યક્રમ માટે કોલાર આવશે.”

 

national news