16 September, 2024 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રશાંત કિશોર
જન સુરાજ નામની નવી પાર્ટી બનાવનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેમનો પક્ષ બિહારમાં સત્તામાં આવશે તો સરકાર બન્યાના પહેલા એક કલાકમાં જ બિહારમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવશે. બીજી ઑક્ટોબરે તેમના પક્ષની વિધિવત જાહેરાત થશે.
દારૂબંધી મુદ્દે બોલતાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘નીતીશકુમારે લાગુ કરેલી દારૂબંધીનો રાજ્યમાં કોઈ પ્રભાવ દેખાતો નથી. દારૂબંધીને કારણે ગેરકાયદે શરાબનું વેચાણ વધી ગયું છે અને રાજ્યને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની સંભવિત મહેસૂલી આવક મળતી બંધ થઈ છે. રાજનેતાઓ અને કેટલાક અધિકારીઓ ગેરકાયદે શરાબના વેપારનો લાભ ઉઠાવી રહ્યા છે. હું કાબેલિયતના રાજકારણમાં વિશ્વાસ ધરાવું છું અને દારૂબંધીના વિરોધમાં બોલતાં અચકાઈશ નહીં.’