મુકેશ અંબાણીએ બદરીનાથ અને કેદારનાથનાં દર્શન કર્યાં

21 October, 2024 11:43 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ પૈકી બદરીનાથ અને કેદારનાથની મુલાકાત લઈને દર્શન કર્યાં હતાં.

મુકેશ અંબાણીએ ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ પૈકી બદરીનાથ અને કેદારનાથની મુલાકાત લઈને દર્શન કર્યાં

ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ પૈકી બદરીનાથ અને કેદારનાથની મુલાકાત લઈને દર્શન કર્યાં હતાં.

સફેદ કુરતો, પાયજામો અને નેહરુ જૅકેટ પહેરીને બદરીનાથ પહોંચેલા મુકેશ અંબાણીનું સ્વાગત બદરીનાથ-કેદારનાથ ટેમ્પલ કમિટીના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કર્યું હતું. મુકેશ અંબાણીએ બદરીનાથના મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ગયા વર્ષે પણ મુકેશ અંબાણી આ ધામની મુલાકાતે આવ્યા હતા, પણ એ સમયે આખો પરિવાર સાથે હતો. 

mukesh ambani religious places uttarakhand kedarnath badrinath reliance news national news