એક દેશ, એક ચૂંટણીને મોદી કેબિનેટની મંજૂરી, જાણો શું છે આનો અર્થ?

18 September, 2024 03:56 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

One Nation, One Election પર રામનાથ કોવિંદના રિપૉર્ટને કેબિનેટ તરફથી સ્વીકૃતિ મળી ગઈ છે. ત્યાર બાદ દેશમાં એક ચૂંટણી કરવાનો માર્ગ સરળ બન્યો છે.

કેબિનેટ મીટિંગ (ફાઈલ તસવીર)

One Nation, One Election પર રામનાથ કોવિંદના રિપૉર્ટને કેબિનેટ તરફથી સ્વીકૃતિ મળી ગઈ છે. ત્યાર બાદ દેશમાં એક ચૂંટણી કરવાનો માર્ગ સરળ બન્યો છે.

One Nation, One Election પ્રસ્તાવને મોદી કેબિનેટ તરફથી આજે સ્વીકૃતિ મળી ગઈ છે. સૂત્રો પ્રમાણે રામનાત કોવિંદના રિપૉર્ટને કેબિનેટ તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યાર બાદ દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી કરાવવાનો માર્ગ સરળ બન્યો છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવાના અવસરે પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને સરકારની ઉપલબ્ધિઓનું લિસ્ટ જાહેર કર્યું હતું.

ક્યારે બનાવવામાં આવી કમિટી?
નરેન્દ્ર મોદી સરકારે તેના પાછલા કાર્યકાળ દરમિયાન `વન નેશન, વન ઈલેક્શન` પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.

શું હતી કમિટીની જવાબદારી
રામનાથ કોવિંદ કમિટીને દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શક્યતાઓ અંગે રિપોર્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સમિતિએ તેનો અહેવાલ ક્યારે સુપરત કર્યો
સમિતિએ આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સોંપ્યો હતો.

કેબિનેટનો નિર્ણય
મોદી કેબિનેટની બેઠકમાં રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી હતી અને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી હતી.

ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન
તાજેતરમાં શાહે સરકારના આ કાર્યકાળ દરમિયાન વન નેશન, વન ઈલેક્શન લાગુ કરવાની વાત પણ કરી હતી.

શું છે સમિતિની ભલામણો?
પ્રથમ તબક્કામાં લોકસભાની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવી જોઈએ.
બીજા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ.
સમગ્ર દેશમાં તમામ ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી હોવી જોઈએ.
મતદાર ઓળખ કાર્ડ દરેક માટે સમાન હોવું જોઈએ
ગૃહમંત્રીએ પણ એક દેશ એક ચૂંટણીની હિમાયત કરી છે
આ દરમિયાન પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી અને કહ્યું કે આ કાર્યકાળ દરમિયાન અમે એક દેશ, એક ચૂંટણીનો અમલ કરીશું. તમને જણાવી દઈએ કે ભાજપે પણ પોતાના ઘોષણાપત્રમાં આ વચન આપ્યું હતું. તાજેતરમાં જ સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ પણ પોતાના ભાષણમાં એક દેશ, એક ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી જેણે પોતાનો રિપોર્ટ આપ્યો છે. આ કાર્યકાળ દરમિયાન એક દેશ એક ચૂંટણી થશે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની ચર્ચા છે. જો કે, ઘણા રાજકારણીઓ એક દેશ, એક ચૂંટણીની તરફેણમાં નથી, તેથી તેઓ એક દેશ, એક ચૂંટણી ઇચ્છતા નથી. એક દેશ, એક ચૂંટણી વર્તમાન સરકારના એજન્ડામાં સામેલ છે અને તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિ દ્વારા રજૂ કરાયેલા અહેવાલને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. જો કે, તેના અમલીકરણ માટે લાંબી પ્રક્રિયા છે

new delhi delhi news Lok Sabha assembly elections national news ram nath kovind amit shah narendra modi