દિલ્હી અને હરિયાણામાં મનીષ સિસોદિયા AAPના ચૂંટણીપ્રચારનું સુકાન સંભાળશે

12 August, 2024 07:34 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મનીષ સિસોદિયા શુક્રવારે ૧૭ મહિનાના જેલવાસ બાદ બહાર આવ્યા હતા

મનીષ સિસોદિયા

દિલ્હી લિકર સ્કૅમમાં જેલમાંથી જામીન પર છૂટીને બહાર આવેલા દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા હવે આ વર્ષના અંતમાં થનારી હરિયાણા વિધાનસભા અને આવતા વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં થનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું સુકાન સંભાળશે. AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આ લિકર સ્કૅમમાં હજી જેલમાં છે. બાવન વર્ષના મનીષ સિસોદિયા શુક્રવારે ૧૭ મહિનાના જેલવાસ બાદ બહાર આવ્યા હતા. ગઈ કાલે સાંજે તેમણે પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી. દિલ્હી વિધાનસભામાં તેઓ પટપડગંજ વિસ્તારમાંથી ત્રણ વાર ચૂંટાઈ આવ્યા છે.

national news manish sisodia aam aadmi party delhi news new delhi assembly elections haryana