અમિત શાહના PM બનવાના માર્ગમાં યોગી છે કાંટોઃ કેજરીવાલે કર્યો બફાટ

16 May, 2024 01:51 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: આપના અરવિંદ કેજરીવાલે કહ્યું, ભાજપની સરકાર બનશે તો યુપીના સીએમને હટાવી દેવામાં આવશે

ફાઇલ તસવીર

લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) ની જંગ જામે છે ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના સંયોજક અને દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ચૂંટણીમાં અમિત શાહ (Amit Shah) ને પીએમ બનાવવા માટે વોટ માંગી રહ્યા છે. આવતા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે મોદી ૭૫ વર્ષના થશે કે તરત જ તેઓ અમિત શાહને પીએમ બનાવશે. ચૂંટણી જીત્યા બાદ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ને બે-ત્રણ મહિનામાં હટાવી દેવામાં આવશે. હવે પીએમ બનવાના અમિત શાહના માર્ગમાં યોગી જ એકમાત્ર કાંટો બચ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખનઉ (Lucknow) માં સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav) સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપ (Bharatiya Janata Party - BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે દાવો કર્યો હતો કે જો ભાજપ જીતશે તો યોગી આદિત્યનાથને સીએમ પદ પરથી હટાવી દેવામાં આવશે. આ પહેલા બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ લખનઉમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

સમાજવાદી પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મોદી અમિત શાહને પીએમ બનાવવા માટે છેલ્લા દોઢથી બે વર્ષથી કામ કરી રહ્યા છે. મોદી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan), વસુંધરા રાજે સિંધિયા (Vasundhara Raje Scindia), દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), રમણ સિંહ (Raman Singh) અને મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar) ને હટાવી ચૂક્યા છે, હવે યોગી તેમના માર્ગનો છેલ્લો કાંટો છે.

કેજરીવાલે એમ પણ કહ્યું કે યોગીને હટાવવાને લઈને છેલ્લા ચાર દિવસમાં ભાજપના કોઈ નેતાએ કોઈ જવાબ આપ્યો નથી. આનાથી સ્પષ્ટ છે કે ચૂંટણી બાદ ભાજપ યોગીને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેશે. તેમણે એમ પણ કહ્યું કે, જો કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તો તે બંધારણને ખતમ કરી દેશે અને એસસી (SC), એસટી (ST) અને ઓબીસી (OBC) માટેનું અનામત ખતમ કરી દેશે. તેમણે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી.

જ્યારે કેજરીવાલને AAPના રાજ્યસભા સભ્ય અને દિલ્હી મહિલા આયોગ (Delhi Women Commission) ના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મૌન જાળવ્યું. તેમની સાથે આવેલા AAPના યુપી પ્રભારી સંજય સિંહ (Sanjay Singh) એ કહ્યું કે, મણિપુર (Manipur) માં કારગિલ ફાઇટરની પત્ની છીનવાઈ ગઈ, પરંતુ પીએમ મૌન રહ્યા. જ્યારે કુસ્તીબાજની દીકરીઓ જંતર-મંતર પર ધરણા પર હતી, સ્વાતિ પણ ધરણા પર બેઠી હતી, તે સમયે પોલીસે માલીવાલને માર માર્યો અને તેને ખેંચીને લઈ ગઈ. ત્યારે ભાજપ અને વડાપ્રધાન મોદી મૌન રહ્યા હતા. સ્વાતિ આમ આદમી પાર્ટી પરિવારની છે, ભાજપે આના પર રાજનીતિ ન કરવી જોઈએ.

Lok Sabha Election 2024 Lok Sabha aam aadmi party arvind kejriwal samajwadi party akhilesh yadav uttar pradesh yogi adityanath amit shah bharatiya janata party narendra modi Shivraj Singh Chouhan vasundhara raje devendra fadnavis political news national news