જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર કિરેન રિજિજુની કારને ટ્રકે ટક્કર મારી, કોઈને ઈજા નહીં

09 April, 2023 09:57 AM IST  |  Jammu | Gujarati Mid-day Correspondent

કાયદાપ્રધાન કિરેન રિજિજુ ગઈ કાલે એક મોટા અકસ્માતમાંથી ઊગરી ગયા હતા.

જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર કિરેન રિજિજુની કાર.

નવી દિલ્હીઃ કાયદાપ્રધાન કિરેન રિજિજુ ગઈ કાલે એક મોટા અકસ્માતમાંથી ઊગરી ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. જમ્મુથી શ્રીનગર જતી વખતે ફુલ્લી લોડેડ ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં કોઈને પણ ઈજા ન થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રામબાન પોલીસે જણાવ્યું હતું કે ‘જમ્મુથી શ્રીનગર બાય રોડ જતી વખતે રિજિજુની કાર જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર રામબાન જિલ્લાના મારૂગ એરિયામાં સીતારામ પાસ્સી પાસે એક ટ્રકની સાથે ટકરાઈ હતી. પ્રધાનને સુર​િક્ષત તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડવામાં આવ્યા હતા.’ 

national news kiren rijiju jammu and kashmir