૬ ઑક્ટોબરે ગ્વાલિયર બંધ

25 September, 2024 09:29 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

ભારત-બંગલાદેશ મૅચના વિરોધમાં હિન્દુ મહાસભાનું એલાન

પ્રતીકાત્મક તસવીર

ભારત અને બંગલાદેશ વચ્ચે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં યોજાનારી T20 મૅચના વિરોધમાં હિન્દુ મહાસભાએ ૬ ઑક્ટોબરે ગ્વાલિયર બંધનું એલાન આપ્યું છે. આ મુદ્દે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય વાઇસ પ્રેસિડન્ટ જયવીર ભારદ્વાજે કહ્યું હતું કે બંગલાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એટલે આ સમય પાડોશી દેશ સાથે મૅચ રમવાનો નથી, આથી એના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે એમાં જીવન જરૂરિયાતની ચીજોના પુરવઠાને કોઈ અસર નહીં પડે. 

national news india bangladesh cricket news