PM મોદી જ દેશનું નેતૃત્વ કરશે, આમાં કોઈ કન્ફ્યૂઝન નથી...શાહનો કેજરીવાલ પર પલટવાર

11 May, 2024 09:09 PM IST  |  Telangana | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેલંગણા પ્રવાસે છે. શનિવારે પહેલા તેમણે એક રેલીનું સંબોધન કર્યું અને પછી પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. અમિત શાહે દાવો કર્યો કે આ વખતે બીજેપી તેલંગણામાં 10થી વધારે સીટ જીતશે.

અમિત શાહ (ફાઈલ તસવીર)

Amit Shah Responds to Arvind Kejriwal: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેલંગણા પ્રવાસે છે. શનિવારે પહેલા તેમણે એક રેલીનું સંબોધન કર્યું અને પછી પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. અમિત શાહે દાવો કર્યો કે આ વખતે બીજેપી તેલંગણામાં 10થી વધારે સીટ જીતશે. અરવિંદ કેજરીવાલની ટિપ્પણી પર તેમણે કહ્યું કે પીએમ મોદી આ ટર્મ પૂરી કરશે અને દેશનું નેતૃત્વ કરતા રહેશે.

મોદીજી કરશે દેશનું નેતૃત્વ
અરવિંદ કેજરીવાલની ટિપ્પણીને લઈને પ્રશ્ન પર જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, "જુઓ, હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને આખા INDI અલાયન્સને કહેવા માગું છું કે મોદીજી 75 વર્ષના થઈ જશે અને તમારે ખુશ થવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના સંવિધાનમાં ક્યાંય નથી લખ્યું. મોદીજી આ ટર્મ પૂરી કરશે અને મોદીજી જ આગળ પણ દેશનું નેતૃત્વ કરતા રહેશે. આમાં બીજેપીમાં કોઈ કન્ફ્યૂઝન નથી."

શું કહ્યું અરવિંદ કેજરીવાલે?
શનિવારે આમ આદમી પાર્ટી કાર્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યું હતું કે આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે મોદી 75 વર્ષના થઈ જશે. 2014 માં, મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે જે પણ 75 વર્ષનો હશે તે ભાજપમાંથી નિવૃત્ત થશે, પહેલા લાલકૃષ્ણ અડવાણીજી નિવૃત્ત થયા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્ર મહાજન, યશવંત સિન્હા નિવૃત્ત થયા. (Amit Shah Responds to Arvind Kejriwal)

હવે મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે. જો તેમની સરકાર બનશે તો પહેલા તેઓ આગામી બે મહિનામાં યોગી આદિત્યનાથજી સાથે ડીલ કરશે, પછી મોદીજીના સૌથી ખાસ અમિત શાહજીને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. મોદી અમિત શાહ માટે મત માંગે છે, પોતાના માટે નહીં.

વિપક્ષ પાસે ન કોઈ નીતિ છે ન તો કોઈ કાર્યક્રમ
"ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ શનિવારે કહ્યું હતું કે, "કેજરીવાલ અને સમગ્ર INDI ગઠબંધન ચૂંટણીમાં નિષ્ફળતાની લાગણીથી પરેશાન છે". તેમનો હેતુ દેશને ગેરમાર્ગે દોરવાનો છે. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધી મોદીજીને લોકોના અપાર આશીર્વાદ મળી રહ્યા છે. તેમની પાસે પ્રધાનમંત્રીની સામે કોઈ નીતિ કે કાર્યક્રમ નથી. હવે તેઓ મોદીજીની ઉંમરનું બહાનું લઈને રસ્તો શોધી રહ્યા છે.`

Amit Shah Responds to Arvind Kejriwal: "ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં ક્યાંય પણ વયને લગતી આવી કોઈ જોગવાઈ નથી. લોકો જાણે છે કે મોદીજીના જીવનની દરેક ક્ષણ ભારત માતાની સેવામાં સમર્પિત છે. મોદીજીના નેતૃત્વમાં `વિકસિત ભારત` નું વિઝન સાકાર થઈ રહ્યું છે અને તેમના કાર્યકાળના આગામી 5 વર્ષમાં મોદીજી દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વિપક્ષ ખુશ ન હોવો જોઈએ, કોઈ મુગલતા ન હોવી જોઈએ. નરેન્દ્ર મોદીજી અમારા નેતા છે અને આગળ પણ રહેશે. Indi ગઠબંધન અને જામીન પર જેલમાંથી બહાર આવેલા નેતાને પણ ખબર છે કે `મોદી આવશે, મોદી રહેશે, મોદી ભારતને મજબૂત બનાવશે ".

કેજરીવાલને માત્ર ચૂંટણી પ્રચાર માટે મળ્યા વચગાળાના જામીન
કેજરીવાલના વચગાળાના જામીન અંગેના સવાલ પર તેમણે કહ્યું કે, હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું સુપ્રીમ કોર્ટે તેમને (અરવિંદ કેજરીવાલ) માત્ર પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસ દાખલ કર્યો હતો કે મારી ધરપકડ ખોટી હતી, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી નહોતી. પછી સુપ્રીમ કોર્ટે જામીન આપવાની વિનંતી સ્વીકારી નહોતી. માત્ર પ્રચાર કરવા માટે 1લી તારીખ સુધી વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને 2જી તારીખે તેમણે એજન્સીઓ સમક્ષ ફરીથી આત્મસમર્પણ કરવું પડશે. જો અરવિંદ કેજરીવાલ તેને ક્લીન ચિટ માને છે, તો મને લાગે છે કે કાયદાની તેમની સમજ ખૂબ જ નબળી છે.`

અમે તેલંગાણામાં 10થી વધુ બેઠકો જીતીશું
તેમણે કહ્યું, "આજે હું તમને બધાને કહેવા માંગુ છું કે ત્રણ તબક્કામાં ભાજપના નેતૃત્વમાં એનડીએના તમામ સહયોગીઓ 200 બેઠકોના આંકડાની નજીક પહોંચી ગયા છે. ચોથો તબક્કો એનડીએ માટે ઘણો સારો છે. ચોથા તબક્કાથી આપણને મહત્તમ સફળતા મળશે અને ચોક્કસપણે આપણે 400 તરફ આગળ વધીશું. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ મતદાન થશે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે એનડીએ અને ભાજપ બંને રાજ્યોમાં સંપૂર્ણ વિજય મેળવશે અને અમે ખૂબ જ તાકાત સાથે આગળ વધી રહ્યા છીએ.`

arvind kejriwal amit shah narendra modi aam aadmi party bharatiya janata party Lok Sabha Election 2024 Lok Sabha national news telangana andhra pradesh