હિમાચલમાં હવે શૌચાલયનું જોડાણ કરવા માટે સરકાર વસૂલશે ટૅક્સ? જાણો શું છે મામલો

04 October, 2024 06:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

himachal congress government denies bjp s toilet tax accusation sparks political row: ભાજપના નેતાઓએ આ આદેશને "ટોઇલેટ ટૅક્સ" કહીને સરકારની ટીકા કરી, તેને વિચિત્ર અને શરમજનક પગલું ગણાવ્યું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

હિમાચલ પ્રદેશમાં નાગરિકો પાસેથી તેમના ઘરોમાં શૌચાલયની બેઠકોની (Himachal Congress government denies BJP’s `toilet tax` accusation) સંખ્યાના આધારે ગટર જોડાણ માટે શુલ્ક લેવામાં આવશે આવો આરોપ કરવામાં આવી રહ્યો છે. જોકે આ આરોપોને હિમાચલ પ્રદેશ સરકારે શુક્રવારે નકારી કાઢ્યા છે સરકારે સ્પષ્ટતા કરી હતી કે આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી અને માત્ર નોટિફિકેશન જ પાણીના શુલ્ક સંબંધિત છે.

તાજેતરના અનેક અહેવાલોમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે સુખવિંદર સિંહ સુખુની (Himachal Congress government denies BJP’s `toilet tax` accusation) આગેવાની હેઠળની કૉંગ્રેસ સરકારે નાગરિકોને તેમના ઘરોમાં શૌચાલયની સીટ દીઠ ગટર જોડાણ ફી ચૂકવવાનો આદેશ આપ્યો હતો, કારણ કે રાજ્ય નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. ભાજપના નેતાઓએ આ આદેશને "ટોઇલેટ ટૅક્સ" કહીને સરકારની ટીકા કરી, તેને વિચિત્ર અને શરમજનક પગલું ગણાવ્યું હતું.

સરકારે આ આદેશના નકારતા લખ્યું હતું કે "હિમાચલ પ્રદેશના (Himachal Congress government denies BJP’s `toilet tax` accusation) જલ શક્તિ વિભાગે મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચારોનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બિલ્ડિંગ માલિક દ્વારા સ્થાપિત ટોઇલેટ સીટોની સંખ્યાના આધારે ગટર જોડાણો આપવામાં આવશે. આ સામે સ્પષ્ટતા કરવામાં આવે છે કે હાલમાં આવી કોઈ સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી.

નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે, "ગટર જોડાણો પહેલાની (Himachal Congress government denies BJP’s `toilet tax` accusation) જેમ જ આપવાનું ચાલુ રહેશે," અને ભારપૂર્વક જણાવ્યું હતું કે "તાજેતરની સૂચના માત્ર પાણીના શુલ્કને લગતી છે, અને અન્ય તમામ શરતો યથાવત છે." કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના નેતાઓએ કથિત આદેશની ટીકા કર્યા બાદ સરકારનું સ્પષ્ટીકરણ આવ્યું છે. તેને "અવિશ્વસનીય" પગલું ગણાવતા, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે "આ પગલું દેશને શરમજનક બનાવશે".

“અવિશ્વસનીય, સાચું હોય તો! જ્યારે પીએમ નરેન્દ્ર મોદીજી (Himachal Congress government denies BJP’s `toilet tax` accusation) એ, સ્વચ્છતાને એક લોક ચળવળ તરીકે બનાવી રહ્યા છે, ત્યારે અહીં કૉંગ્રેસ શૌચાલય માટે લોકો પર ટૅક્સ લગાવી રહી છે! શરમજનક છે કે તેઓએ તેમના સમય દરમિયાન સારી સ્વચ્છતા પૂરી પાડી ન હતી, પરંતુ આ પગલું દેશને શરમજનક બનાવશે!,” નિર્મલા સીતારમણે ટ્વિટ કર્યું. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "હવે કૉંગ્રેસ તમને શાંતિથી શૌચાલય જવા પણ નહીં દે."

બીજેપી નેતા અમિત માલવ્યાએ (Himachal Congress government denies BJP’s `toilet tax` accusation) કહ્યું કે "આ તે છે જે `ક્રેપ` નેતૃત્વ કરે છે". તેમણે કહ્યું, “એક વિચિત્ર પગલામાં, કૉંગ્રેસ સરકાર હવે નાગરિકો પર તેમની પાસે ઘરની શૌચાલય બેઠકોની સંખ્યાના આધારે ટૅક્સ વસૂલશે. તમે તે સાચું વાંચ્યું છે - શૌચાલય બેઠકોની સંખ્યા! પીએમ મોદી શૌચાલય બનાવી રહ્યા છે, કૉંગ્રેસ તેમના પર ટૅક્સ લગાવી રહી છે. જોકે ભાજપ નેતાઓએ કરેલા આ ટ્વીટ ડિલીટ કરી દીધા છે.

himachal pradesh congress bharatiya janata party political news indian politics swachh bharat abhiyan national news