midday

આવો બફાટ?

05 February, 2025 08:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહાકુંભની નાસભાગમાં ૩૦ લોકોનાં મોતની ઘટના વિશે હેમા માલિનીએ કહ્યું કે એટલી કંઈ મોટી ઘટના નહોતી, એને બઢાવી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહી છે
ગઈ કાલે નવી દિલ્હીમાં સંસદભવનની બહાર પત્રકારો સાથે વાત કરતાં હેમા માલિની.

ગઈ કાલે નવી દિલ્હીમાં સંસદભવનની બહાર પત્રકારો સાથે વાત કરતાં હેમા માલિની.

૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી નાસભાગમાં ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા એ ઘટના હેમા માલિનીના મતે બહુ નાની છે. BJPનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ ગઈ કાલે મીડિયા સાથે વાતચીત કરતી વખતે નાસભાગની ઘટના વિશે કહ્યું હતું કે ‘જે લોકો બોલી રહ્યા છે એ તેમનું કામ છે બોલવાનું... ઊંધું, ખોટું બોલવાનું. હું કુંભમાં ગઈ હતી અને મેં પણ સરસ સ્નાન કર્યું હતું. બહુ સારું બધું થયું. આ ઘટના થઈ હતી એ સાચી વાત છે પણ એટલું મોટું કંઈ નહોતું થયું, પણ એ કેટલી મોટી ઘટના હતી એ મને નથી ખબર... આ ઘટનાને 
બઢાવી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહી છે.’

Whatsapp-channel
hema malini kumbh mela prayagraj new delhi bharatiya janata party indian politics festivals religious places social media news national news