હરિયાણાના ખેડૂતનેતા રાકેશ ​ટિકૈતની સલમાનને સલાહ

28 October, 2024 09:28 AM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

મંદિરમાં જઈને માફી માગી લે; લૉરેન્સ બિશ્નોઈ બહુ જ બદમાશ છે, ખબર નહીં ક્યારે ટપકાવી દે

રાકેશ ટિકૈત

કાળિયારના શિકારના કેસમાં સંડોવાયેલા અને એમ કરીને બિશ્નોઈ સમાજની ખફગી વહોરી લેનારા સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈએ મારી નાખવાની ધમકી આપી છે ત્યારે હવે હરિયાણાના ખેડૂતનેતા રાકેશ ટિકૈતે સલમાનને સલાહ આપતાં કહ્યું છે કે ‘આ સમાજની બાબત છે. મંદિરમાં જઈને બિશ્નોઈ સમાજની માફી માગી લે, નહીં તો પછી એનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે.’
 રાકેશ ટિકૈતે આ બાબતે કહ્યું હતું કે ‘અગર વો માફી માંગ લે તો સહી હૈ. ગલતી-સલતી તો હોતી રહતી હૈ. નહીં તો યે વિવાદ ચલતા રહેગા. ઇસમેં પતા નહીં કૌન લપેટેમાં આએગા. ઔર વિવાદ નિપટ જાએ તો ઠીક હૈ. યે સમાજ સે જુડા હુઆ મામલા હૈ. સલમાન ખાન કો મંદિર જાકે માફી માંગ લેની ચાહિએ. (લૉરેન્સ) બદમાશ આદમી હૈ. નહીં તો જેલ મેં બંધ આદમી પતા નહીં કબ ટપકવા દે.’

national news india lawrence bishnoi Salman Khan haryana Crime News