કાશ્મીરમાં પણ ધામધૂમથી ઉજવાશે ગણેશોત્સવ, પુણેના મંડળોએ મોકલી ગણેશ મૂર્તિ

01 September, 2024 09:19 PM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

Ganesh Utsav 2024: 10 દિવસના આ ઉત્સવને આ વર્ષે કાશ્મીરના અનંતનાગ અને કુપવાડામાં પણ ઉજવવામાં આવવાનો છે.

કાશ્મીરમાં ગણેશોત્સવની ઉજવણી કરવા પુણેના સાત ગણેશ પંડાલ ભેગા થયા હતા (તસવીર: સોશિયલ મીડિયા)

સતત બીજા વર્ષે ગણેશોત્સવના આનંદ અને ઉત્સાહમાં ઉમેરો કરતા, પુણેના સાત અગ્રણી ગણેશ મંડળોએ શનિવારે કાશ્મીરમાં ગણેશ ચતુર્થીના (Ganesh Utsav 2024) તહેવારની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. સાતમી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીથી આ ઉત્સવની શરૂઆત થશે. 10 દિવસના આ ઉત્સવને કાશ્મીરના અનંતનાગ અને કુપવાડામાં પણ ઉજવવામાં આવવાનો છે. ગયા વર્ષે શ્રીનગરમાં ગણેશ મંડળોએ ગણેશોત્સવની ઉજવણી કરી હતી. કસ્બા ગણપતિ, તાંબડી જોગેશ્વરી, ગુરુજી તાલિમ, તુલસીબાગ ગણપતિ, કેસરીવાડા ગણપતિ મંડળ, શ્રીમંત ભાઈસાહેબ રંગારી ગણપતિ અને અખિલ મંડાઈ મંડળ સહિત સાત સહભાગી ગણેશ મંડળોએ તેમની પૂજનીય ગણપતિની મૂર્તિઓની પ્રતિકૃતિઓ પુણેમાં આવેલા કાશ્મીરના પંડિતોના એક જૂથને સોંપી હતી.

કાશ્મીરી પંડિત (Ganesh Utsav 2024) સંદીપ રૈનાએ કહ્યું કે તેઓ આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવાની પરંપરા ચાલુ રાખશે. આ વર્ષે ગણપતિ ઉત્સવ અનંતનાગમાં ઉજવવામાં આવશે, જ્યાં મોટાભાગના કાશ્મીરી પંડિતો રહે છે. મીડિયા સાથે સાથે વાત કરતાં રૈનાએ કહ્યું, “ગયા વર્ષે, 35 વર્ષ પછી, કાશ્મીરમાં ગણપતિ વિસર્જન થયું અને અમે આ વર્ષે પણ આ પરંપરાને ખૂબ ધામધૂમથી ચાલુ રાખીશું. આ વર્ષે વિસર્જન અનંતનાગમાં થશે, જ્યાં મોટાભાગના કાશ્મીરી પંડિતો રહે છે. અમે આ વર્ષે વિસર્જન દરમિયાન રોડ રેલીની પણ વ્યવસ્થા કરી છે. લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ સમગ્ર કાર્યક્રમ અનંતનાગમાં પાંચ દિવસ સુધી ચાલશે.

આ પ્રતિમાઓ કાશ્મીરમાં ગણેશોત્સવ (Ganesh Utsav 2024) દરમિયાન સ્થાપિત કરવામાં આવશે, જે એકતા અને સાંસ્કૃતિક સમરસતાની ભાવનાનું પ્રતિક છે. વધુમાં, શ્રીમંત ભાઈસાહેબ રંગારી ગણપતિ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગણપતિ મહોત્સવના વડા પુનિત બાલને આ પહેલનો ભાગ બનવા બદલ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્મીરમાં 34 વર્ષના લાંબા વિલંબ બાદ ગણેશોત્સવની ઉજવણી એ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ખીણમાં શાંતિ અને સાંસ્કૃતિક પરંપરાઓની પુનરાગમનનો સંકેત આપે છે.

બાલને કહ્યું, “જ્યારે 2022માં પુણેના તમામ પંડાલો (Ganesh Utsav 2024) એકસાથે આવ્યા હતા, ત્યારે ઘણી ટીકાઓ થઈ હતી અને પ્રશ્નો ઉભા થયા હતા કે કાશ્મીરમાં તહેવાર ઉજવવાની શું જરૂર હતી. જો કે, ગણેશ ઉત્સવનો પ્રસંગ માત્ર પુણેમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે પૂણેથી ત્રણ મૂર્તિઓ કાશ્મીર મોકલવામાં આવી છે અને વધુમાં કહ્યું કે આ એ વાતનો સંકેત છે કે ઘાટીમાં શાંતિ જળવાઈ રહી છે. તેમણે કહ્યું, “આ વર્ષે કાશ્મીરમાં ઉજવણી માટે પૂણેથી ત્રણ મૂર્તિઓ મોકલવામાં આવી રહી છે. જો કે, જો આપણે જોઈએ તો, તે સંકેત છે કે કલમ 370 નાબૂદ થયા પછી, હવે ઘાટીમાં શાંતિ છે. આ પહેલ સાંસ્કૃતિક વિનિમય અને ભૌગોલિક સીમાઓને પાર કરીને એકતાની શક્તિ દર્શાવે છે.

ganesh chaturthi kashmir kupwara district culture news hinduism national news