અલ-કાયદાથી પ્રભાવિત ટેરર ગ્રુપનો થયો પર્દાફાશ, ૧૪ જણની ધરપકડ

23 August, 2024 09:03 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ ઑપરેશનમાં આ ટેરર ગ્રુપ સાથે સંકળાયેલા ૧૪ જણની ધરપકડ કરવામાં આવી છે

દિલ્હી પોલીસની ફાઇલ તસવીર

દિલ્હી પોલીસે અલ-કાયદાથી પ્રભાવિત એક ટેરર ગ્રુપનો પર્દાફાશ કર્યો હતો. ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને કરવામાં આવેલા આ ઑપરેશનમાં આ ટેરર ગ્રુપ સાથે સંકળાયેલા ૧૪ જણની ધરપકડ કરવામાં આવી છે. આ ગ્રુપ ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપીને દેશની અંદર ‘ખિલાફત’ (ઇસ્લામનું રાજ્ય) જાહેર કરવા માગતું હતું. આ ગ્રુપને લીડ રાંચીનો ડૉ. ઇશ્તિઆક કરી રહ્યો હોવાનું દિલ્હી પોલીસનું કહેવું છે. આ ટેરર ગ્રુપના મેમ્બરને હથિયાર ચલાવવાથી લઈને દરેક પ્રકારની તાલીમ આપવામાં આવી છે. પોલીસે ૬ જણની રાજસ્થાન અને આઠની ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી હથિયાર, દારૂગોળો અને આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલું સાહિત્ય જપ્ત કર્યું છે.

national news india delhi police new delhi delhi news Crime News