ભારતમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૫૭,૫૪૨ પર પહોંચી ગઈ

17 April, 2023 11:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૩ મૃત્યુની સાથે આ મહામારીને કારણે અત્યાર સુધી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૫,૩૧,૧૧૪ થઈ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતમાં કોરોનાના નવા ૧૦,૦૯૩ કેસ નોંધાયા હતા, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૫૭,૫૪૨ પર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૩ મૃત્યુની સાથે આ મહામારીને કારણે અત્યાર સુધી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૫,૩૧,૧૧૪ થઈ છે. દિલ્હીમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બબ્બે, કેરલામાં ચાર; જ્યારે હરિયાણા, ઓડિશા, તામિલનાડુ અને ઉત્તરાખંડમાં એક-એક દરદીનાં મૃત્યુ થયાં હતાં.

national news coronavirus covid19 new delhi