હવે CBI કરશે મહિલા ડૉક્ટર બળાત્કાર અને હત્યાના કેસની તપાસ, કલકત્તા હાઈકોર્ટનો મોટો આદેશ

13 August, 2024 07:36 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

હૉસ્પિટલ પ્રશાસન શું થયું તેની જાણ હોવા છતાં પણ આ મામલામાં બેદરકાર છે. કેવી રીતે ડૉક્ટર (Kolkata Doctor Rape And Murder Case)ના શરીર પર ગંભીર ઈજા અને ઘાના નિશાન છે

તસવીર: પીટીઆઈ

સીબીઆઈ હવે કોલકાતાની આરજી કાર મેડિકલ કૉલેજના ડૉક્ટરની ઘૃણાસ્પદ હત્યા અને બળાત્કાર કેસ (Kolkata Doctor Rape And Murder Case)ની તપાસ કરશે. હાઈકોર્ટે મંગળવારે આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, આ ઘટનામાં હૉસ્પિટલ પ્રશાસને ગંભીર બેદરકારી દાખવી છે અને આ કેસની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે. આ સાથે કોર્ટે હૉસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલને લાંબી રજા પર મોકલી દીધા છે. આ ઘૃણાસ્પદ હત્યાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. દેશભરની સરકારી હૉસ્પિટલોમાં પણ ડૉક્ટરો વિરોધ કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ ઓપીડી ઠપ થઈ ગઈ છે.

કોર્ટે કહ્યું કે, હૉસ્પિટલ પ્રશાસન શું થયું તેની જાણ હોવા છતાં પણ આ મામલામાં બેદરકાર છે. કેવી રીતે ડૉક્ટર (Kolkata Doctor Rape And Murder Case)ના શરીર પર ગંભીર ઈજા અને ઘાના નિશાન છે. કોર્ટે કહ્યું કે, મૃતકના પરિવારજનો એવી એજન્સી પાસેથી તપાસ ઇચ્છે છે જેમાં ચેડાં કરવાની કોઇ તક ન હોય. તેમણે કેવી રાજેન્દ્રન કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દુર્લભ કેસોમાં પણ કોર્ટ કેસ ટ્રાન્સફર કરવા માટે તેની સત્તાનો ઉપયોગ કરી શકે છે. કોર્ટનો આ નિર્ણય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ખુદ સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, પોલીસે રવિવાર સુધીમાં સમગ્ર મામલાની તપાસ કરી લેવી જોઈએ અને મામલો સામે આવવો જોઈએ.

“જો આ શક્ય ન બને તો અમે કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરીશું.” કલકત્તા હાઇકોર્ટ રવિવાર પહેલાં જ આ નિર્ણય આપી ચૂકી છે. કોર્ટે પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષને પણ ફટકાર લગાવી હતી. ખંડપીઠે કહ્યું કે, તે હૃદયદ્રાવક છે કે આટલી મોટી ઘટના પછી પણ તે સક્રિય નથી. હોબાળા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે પણ તેમને બીજી કૉલેજ (Kolkata Doctor Rape And Murder Case)માં જવાબદારી મળી હતી. કોર્ટે કહ્યું કે, “ઘોષને તાત્કાલિક ડિસ્ચાર્જ કરીને કામથી દૂર રાખવામાં આવે. તે પ્રભાવશાળી વ્યક્તિ છે અને તપાસને પ્રભાવિત કરી શકે છે.”

કોર્ટે ઘોષને અન્ય હૉસ્પિટલમાં નિયુક્ત કરવા બદલ રાજ્ય સરકારની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, રાજીનામું કયા સંજોગોમાં આપવામાં આવ્યું છે તે ધ્યાનમાં રાખવું જોઈતું હતું. એક જગ્યાએથી રાજીનામું સ્વીકારવામાં આવે તે પહેલાં પણ સત્તાધિકારીએ બીજી જગ્યાએ નિમણૂક કેવી રીતે આપવી તેનો વિચાર પણ કર્યો ન હતો. એટલું જ નહીં, કોર્ટે કહ્યું કે, “હૉસ્પિટલ પ્રશાસને ઘટના બાદ પીડિતાના પરિવારજનોને મળ્યા નથી. હવે આમાં સમય બગાડવાનો કોઈ ફાયદો નથી. અન્યથા પુરાવા સાથે ચેડા થઈ શકે છે.”

ઉલ્લેખનીય છે કે, આકરા નિવેદન સાથે કોલકાતા હાઈકોર્ટે આ તપાસ સીબીઆઈને સોંપી છે.

kolkata west bengal india news national news