બાગમતી એક્સપ્રેસને આ ભૂલને લીધે નડ્યો અકસ્માત, ગૂડ્સ ટ્રેન સાથે ટક્કર બાદ...

12 October, 2024 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bagmati Express Accident: અકસ્માત પછી, ફસાયેલા મુસાફરોને બસ દ્વારા પોનેરી લઈ જવામાં આવ્યા હતા અને પછી બે EMU વિશેષ ટ્રેનો દ્વારા ચેન્નઈ સેન્ટ્રલ લઈ જવામાં આવ્યા હતા.

ટ્રેન અકસ્માત (મિડ-ડે)

બિહારના મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ ટ્રેનની ચેન્નઈ નજીક ગૂડ્સ ટ્રેન સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત બાદ ટ્રેનમાં આગ લાગી હતી. કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન (Bagmati Express Accident) નજીક શુક્રવારે સાંજે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે, જેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત પછી, ફસાયેલા મુસાફરોને બસ દ્વારા પોનેરી લઈ જવામાં આવ્યા હતા અને પછી બે EMU વિશેષ ટ્રેનો દ્વારા ચેન્નઈ સેન્ટ્રલ લઈ જવામાં આવ્યા હતા. બધા મુસાફરો પહોંચ્યા પછી, તેમને ફૂડ પેકેટ અને પાણી આપવામાં આવ્યું અને અરક્કોનમ, રેનીગુંટા અને ગુડુર થઈને દરભંગા જતી પેસેન્જર સ્પેશિયલ ટ્રેનમાં ચડ્યા જે સવારે લગભગ 04.45 વાગ્યે ઉપડી હતી.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે “તમિલનાડુમાં (Bagmati Express Accident) શુક્રવારે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી એક એક્સપ્રેસ ટ્રેન મેઈન લાઈનમાં જવાને બદલે લૂપલાઈનમાં ઘુસી ગઈ અને ઉભી રહેલી ગૂડ્સ ટ્રેન સાથે અથડાઈ. આ અકસ્માતમાં ઘણા મુસાફરો ઘાયલ થયા હતા અને એક કોચમાં આગ લાગી હતી. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું, "સરકાર ઝડપથી રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત થઈ ગઈ છે."

રેલવે બોર્ડે કહ્યું છે કે ચેન્નઈ રેલવે વિભાગના પોનેરી-કાવરપેટ્ટાઈ (Bagmati Express Accident) સેક્શનમાં પેસેન્જર-સામાન ટ્રેનની અથડામણમાં હજુ સુધી કોઈ કોઈનું મૃત્યુ થયું નથી. રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર વિભાગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિલીપ કુમારે પેસેન્જર ટ્રેન પાર્ક કરેલી માલસામાન ટ્રેન સાથે અથડાયા પછી તરત જ એક વીડિયો સંદેશ જાહેર કર્યો અને કહ્યું, “અમને કાવરપેટ્ટાઈ સ્ટેશન પર બાગમતી એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન વચ્ચે અથડામણની માહિતી મળી હતી. ચેન્નઈ ડિવિઝનની બચાવ અને રાહત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

LHB કોચ સાથેની ટ્રેન નંબર 12578 મૈસુર ડિબ્રુગઢ દરબાબગાહ એક્સપ્રેસને (Bagmati Express Accident) 11 ઓક્ટોબરના રોજ 20.27 કલાકે તિરુવલ્લુર જિલ્લામાં પોનેરી સ્ટેશન ક્રોસ કર્યા પછી આગળ વધવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. જોકે, દક્ષિણ રેલવે તરફથી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, "કવારાઈપેટ્ટાઈ સ્ટેશનમાં પ્રવેશતી વખતે, ટ્રેનના ક્રૂએ જોરદાર આંચકો અનુભવ્યો હતો અને આપેલા સિગ્નલ મુજબ મુખ્ય લાઇન પર જવાને બદલે, ટ્રેન 75 કિમી પ્રતિ કલાકની ઝડપે લૂપમાં ગઈ હતી. ટ્રેન લાઇનમાં ઘૂસી ગઈ અને લૂપ લાઇનમાં ઉભેલી ગૂડ્સ ટ્રેન સાથે અથડાઇ હતી." તમને જણાવી દઈએ કે ક્રૂ સુરક્ષિત છે અને એક કોચ અને પાર્સલ બોગીમાં આગ લાગી હતી, જેને ફાયર એન્જિન દ્વારા કાબુમાં લેવામાં આવી હતી.

train accident tamil nadu chennai indian railways national news ashwini vaishnaw