કરવા ચૌથના દિવસે મહાકાલની ભસ્મ આરતીમાં બાબાનાં સૂર્યસ્વરૂપનાં દર્શન

21 October, 2024 11:42 AM IST  |  Ujjain | Gujarati Mid-day Correspondent

ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ગઈ કાલે કરવા ચૌથના અવસરે બાબા મહાકાલની ભસ્મ-આરતી વખતે બાબા મહાકાલને સૂર્યસ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા હતા

ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર

ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ગઈ કાલે કરવા ચૌથના અવસરે બાબા મહાકાલની ભસ્મ-આરતી વખતે બાબા મહાકાલને સૂર્યસ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને આ માટે સૂર્યના સ્વરૂપમાં અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. મહાકાલને ચંદ્ર અને ત્રિપુંડ સાથે ફૂલોનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંચામૃત અભિષેક અને ભસ્મ અર્પણ કરવામાં આવ્યાં હતાં. જે લોકોએ આ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો તેઓ મહાકાલને જોતા જ રહી ગયા હતા. આ માટે મંદિર સવારે ચાર વાગ્યે ખૂલી ગયું હતું.

ujjain madhya pradesh religious places national news news