ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને મળી જેલમાંથી રજા, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

10 May, 2024 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલ (Arvind Kejriwal Bail) વતી કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે તેમને જામીન મળવી જોઈએ. જોકે, તપાસ એજન્સીએ પહેલાં જ આપના વડાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના ચીફ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal Bail)ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (10 મે) કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાનએ લોકસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે દિલ્હી લિકર પૉલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

ઇડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલ (Arvind Kejriwal Bail) વતી કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે તેમને જામીન મળવી જોઈએ. જોકે, તપાસ એજન્સીએ પહેલાં જ આપના વડાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કેજરીવાલને જામીન આપવામાં આવશે તો તેનાથી ખોટો સંદેશ જશે. તેની સાથે કોઈ ખાસ વ્યક્તિની જેમ વ્યવહાર કરી શકાય નહીં. જો કે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે દલીલો સાંભળ્યા બાદ કેજરીવાલને જામીન આપ્યા હતા.

ઈડીએ જામીનનો વિરોધ કરતી એફિડેવિટ દાખલ કરી

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે તે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal Bail)ને જામીન આપી શકે છે. આ જ કારણ હતું કે ઈડીએ ગુરુવારે કેજરીવાલની અરજીનો વિરોધ કરીને એફિડેવિટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે, કાયદા દરેક માટે સમાન છે અને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવો એ કોઈ મૂળભૂત, બંધારણીય કે કાયદાકીય અધિકાર નથી.

તપાસ એજન્સીએ કહ્યું હતું કે, પ્રચાર માટે કોઈ રાજકીય નેતાને જામીન આપવામાં આવ્યા નથી. કેજરીવાલને આપના ઉમેદવારો માટે પ્રચાર કરવા જેલમાંથી બહાર આવવા દેવાથી ખોટી મિસાલ સ્થાપિત થશે. અગાઉ મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 મે સુધી લંબાવી હતી.

ચૂંટણીપ્રચાર કરવો એ મૌલિક અધિકાર નથી, ખોટો દાખલો બેસાડવામાં આવશે

લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારોના પ્રચાર માટે સુપ્રીમ કોર્ટ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા કે નહીં એનો નિર્ણય આજે લેશે એ પહેલાં ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ સુપ્રીમ કોર્ટમાં એક ઍફિડેવિટ નોંધાવીને જણાવ્યું હતું કે ચૂંટણીપ્રચાર કરવો એ કોઈ મૌલિક, બંધારણીય કે કાનૂની અધિકાર નથી. EDએ કેજરીવાલને વચગાળાના જામીન મળે એનો વિરોધ કર્યો છે.

EDએ ૨૧ માર્ચે અરવિંદ કેજરીવાલની દિલ્હી શરાબ-કૌભાંડમાં ધરપકડ કરી હતી. મંગળવારે આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના જ​સ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાએ કહ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલ એક ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે, રીઢા ગુનેગાર નથી. ચૂંટણી માથે છે એવા સમયે દિલ્હીના મુખ્ય પ્રધાન માટે આ અસાધારણ પરિસ્થિતિ છે.’ EDના ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે ‘કાયદો બધા માટે બરાબર છે અને ચૂંટણીપ્રચાર કરવો એ મૌલિક અધિકાર નથી. કોઈ પણ નેતાને ચૂંટણીપ્રચાર કરવા માટે જામીન અપવામાં આવ્યા નથી. આ રીતે જો તેમની પાર્ટીના ઉમેદવારોના ચૂંટણીપ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવશે તો એ ખોટો દાખલો બેસાડશે. કોઈ પણ રાજનેતા કોઈ વિશેષ દરજ્જાનો દાવો કરી શકે નહીં અને ગુનો કરનારા નેતાઓને પણ અન્ય નાગરિકોની જેમ જ પકડી લેવામાં આવે છે. માત્ર ચૂંટણીપ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન આપવા એ સમાનતાના નિયમની વિરુદ્ધ રહેશે. વળી કેજરીવાલ પોતે ચૂંટણી લડી રહ્યા નથી.’

arvind kejriwal aam aadmi party ed directorate of enforcement supreme court india national news Lok Sabha Election 2024