AAPના નેતા સત્યેન્દ્ર જૈનને બે વર્ષ બાદ જામીન મળ્યા

19 October, 2024 05:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વચગાળાના જામીનને લંબાવવાના આદેશનો તેમણે સુપ્રીમ કોર્ટમાં વિરોધ નોંધાવ્યો હતો.

સત્યેન્દ્ર જૈન

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈનને બે વર્ષના ગાળા બાદ જામીન આપવામાં આવ્યા છે. તેમને ૨૦૨૩માં ૨૬ મેએ મેડિકલ ધોરણે વચગાળાના જામીન મળ્યા હતા અને સમયે-સમયે એને લંબાવવામાં આવતા હતા. જોકે હવે કોર્ટે તેમને રેગ્યુલર જામીન આપ્યા છે. વચગાળાના જામીનને લંબાવવાના આદેશનો તેમણે સુપ્રીમ કોર્ટમાં વિરોધ નોંધાવ્યો હતો.

aam aadmi party Crime News delhi news new delhi india supreme court