વિક્રોલીમાં બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતાં પિતા અને 10 વર્ષના પુત્રનું મૃત્યુ

10 June, 2024 06:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Vikhroli Slab Collapse: આ ઘટનામાં મૃત્યુ પામેલા બે લોકોમાં 38 વર્ષના નરેશ રેડ્ડી અને તેમનો 10 વર્ષનો દીકરો રોહિત રેડ્ડીનો સમાવેશ છે,

સ્લેબ તૂટી પડવાની જગ્યા (ડાબે) અને મૃત્યુ થનાર પીડિતો (જમણે) તસવીર સૌજન્ય મિડ-ડે

મુંબઈના વિક્રોલી (Vikhroli Slab Collapse) ખાતે એક બાંધકામ હેઠળની ઈમારતના સ્લેબનો કેટલોક ભાગ તૂટી પડતાં તેમાં બે લોકોનું મૃત્યુ થયું છે. મુંબઈ મહાનગર પાલિકાના અધિકારીઓએ સોમવાર 10 જૂને આ ઘટના બાબતે માહિતી આપી હતી. મહાનગરપાલિકા અધિકારીના જણાવ્યાં અનુસાર, વિક્રોલી વિસ્તારના કૈલાસ બિઝનેસ પાર્ક ખાતે રવિવારે નવમી જૂને રાત્રે લગભગ 11.10 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. રવિવારે રાતથી જ મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. એવામાં વિક્રોલી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની હતી. વિક્રોલીના કૈલાસ બિઝનેસ પાર્ક (Vikhroli Slab Collapse) ખાતે આવેલી એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં સ્લેબનો એક ભાગ તુટી પડ્યો હતો. આ સેલ્બ તુટી પડતાં બે લોકો તેની નીચે દટાઇ ગાઈયા હતા.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તરત જ પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ તરત જ પોલીસ, મુંબઈ મહાનગર પાલિકા અને અગ્નિ શમન દળની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્લેબ તુટી પડ્યા બાદ ઈમારતનો કેટલોક જોખમભર્યો ભાગ લટકી રહ્યો હતો, જ્યારે બાલ્કનીનો કેટલાક ભાગ પણ તૂટી ગયો હતો. તુટી પડેલા માળખા હેઠળ ફસાયેલા લોકોને બહાર કાઢવાના રેસક્યું ઓપરેશન વખતે વધુ નુકસાન (Vikhroli Slab Collapse) અને જાનહાનિ ટાળવા માટે અગ્નિ શમન દળની ટીમે ઈમારતના જોખમભર્યા ભાગને હટાવી દીધો હતો. આ દુર્ઘટના દરમિયાન માળખા નીચે ફસાયેલા બે ઘાયલ લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા.

અગ્નિ શમન દળની ટીમના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ વિસ્તારના સ્થાનિક લોકોએ બંને જખમી લોકોને રાજાવાડી હૉસ્પિટલમાં (Vikhroli Slab Collapse) દાખલ કરાવ્યાં હતા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હત. આ ઘટનામાં મૃત્યુ પામેલા બે લોકોમાં 38 વર્ષના નરેશ રેડ્ડી અને તેમનો 10 વર્ષનો દીકરો રોહિત રેડ્ડીનો સમાવેશ છે, એવી માહિતી પોલીસ અધિકારીઓએ આપી છે.

ઘટનામાં મૃત્યુ થયેલા નરેશ રેડ્ડી અને તેમના 10 વર્ષના દીકરાના મૃત્યુ અંગે નરેશના ભાઈ પ્રભાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે “મારો ભાઈ છેલ્લા બે વર્ષથી અહીં ચોકીદાર તરીકે કામ કરતો હતો. સોસાયટીના સભ્યોએ બિલ્ડરને પત્ર લખીને ઈમારતની સલામતી (Vikhroli Slab Collapse) માટેના પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું હતું. મારો ભાઈ નરેશ ફરજ પર હતો ત્યારે તેનો તેને જમવાનું આપવા માટે ત્યાં ગયો હતો. જો કે કમનસીબે, બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડ્યો, અને તેની નીચે દટાઇને બંનેનું મૃત્યુ થયું. અમે ભાઈ અને તેના દીકરાને મૃત્યુ મામલે ન્યાય અને વળતરની માંગ કરીએ છીએ.

vikhroli mumbai news mumbai rains