મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા MVAમાં ખટરાગ! ઉદ્ધવની માગ પર MVA મૌન

23 August, 2024 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પ્રયત્ન છે કે ચૂંટણી પહેલા મહાવિકાસ આઘાડીના સીએમ પદના ચહેરાની જાહેરાત થઈ જાય પણ આ મામલે કૉંગ્રેસ અને NCP SP કોઈ રસ દાખવી રહ્યા નથી.

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પ્રયત્ન છે કે ચૂંટણી પહેલા મહાવિકાસ આઘાડીના સીએમ પદના ચહેરાની જાહેરાત થઈ જાય પણ આ મામલે કૉંગ્રેસ અને NCP SP કોઈ રસ દાખવી રહ્યા નથી.

મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતે થનારી વિધાનસભા ચૂંટણીના પહેલા મહાવિકાસ આઘાડીમાં ખટરાગ થવાના સમાચાર આવવા માંડ્યા છે. સૂત્રો પ્રમાણે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના UBTના ગઠબંધનના સાથી દળોનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણી પહેલા ઓછામાં ઓછા ચાર દિવાલની અંદર મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થઈ જાય. કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસ અને શરદ પવારની પાર્ટી ઉદ્ધવની આ માગથી સંમત નથી અને MVAને જ આગળ રાખીને ચૂંટણી લડવાના પક્ષમાં છે.

ઉદ્ધવની માગણી સામે કૉંગ્રેસ અને NCP SPએ સાંભળીને વણસાંભળ્યું કર્યું
જણાવવાનું ઉદ્ધવ ઠાકરે પહેલાથી MVAના કાર્યક્રમમાં કહી ચૂક્યા છે કે કૉંગ્રેસ અને NCP SP પાસે કોઈ મુખ્યમંત્રી પદનો ચહેરો હોય તો તેમનું નામ જણાવે, તેમની પાર્ટી તેમનું સમર્થન કરશે પણ કૉંગ્રેસ અને પવાર તરફથી આ મામલે કોઈ રિસ્પૉન્સ આવ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરેનો પ્રયત્ન છે કે અંદરોઅંદર જ  વાત કીને ઓછામાં ઓછું મુખ્યમંત્રી પદનો ચહેરો એકવાર નક્કી થઈ જાય, પણ અત્યાર સુધી MVAના બીજા ઘટકદળોએ આ વિશે કોઈ રસ દાખવ્યો નથી.

કેમ CM ફેસ જાહેર કરાવવા માગે છે ઉદ્ધવ?
રિપૉર્ટ્સ પ્રમાણે, ઉદ્ધવ ઠાકરેનું માનવું છે કે મુખ્યમંત્રી પદનો ચહેરો ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવ્યું તો મહાવિકાસ આઘાડીમાં એક બીજાના ઉમેદવાર પાડવાનું કામ નહીં થાય. તેમનું માનવવું છે કે આમ કરવાથી ચૂંટણીમાં MVAને જ ફાયદો થશે. સાથે જ ઉદ્ધવ એ પણ ઇચ્છે છે કે જેના વધારે વિધેયક ચૂંટાઈને આવશે તેમના સીએમ બને, આ ફૉર્મ્યૂલા નક્કી ન થાય. તો, કૉંગ્રેસ અને NCP SP ઉદ્ધવ ઠાકરેની માગ પર વારંવાર એ જ કહી રહ્યા છે કે ચૂંટણીના પરિણામ બાદ જ નક્કી કરવામાં આવશે કે ચૂંટણીમાં MVA જ મુખ્યમંત્રી પદનો ચહેરો હશે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે વક્ફ એક્ટમાં સંશોધન સંબંધિત બિલને જેપીસીને મોકલી દીધું છે. જ્યારે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ (Muslim Leaders upset as Shiv Sena UBT) સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો. આ બિલને ગેરબંધારણીય કહેવામાં આવ્યું હતું, પરંતુ સંસદભવનના ગૃહમાં ચર્ચા દરમિયાન શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) ના સાંસદો ગાયબ રહ્યા હતા. જેને લઈને હવે મુસ્લિમ સંગઠનના લોકો યુબીટીથી નારાજ હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

વક્ફ એક્ટમાં સંશોધન સંબંધિત બિલની ચર્ચા દરમિયાન યુબીટીના નેતાઓ સામેલ ન રહેતા હવે રાજ્યમાં નવો રાજકીય હોબાળો નિર્માણ થાય તેવી શક્યતા છે. આ વાતને લઈને મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારે 17 ઓગસ્ટના રોજ વક્ફ બોર્ડ (Muslim Leaders upset as Shiv Sena UBT) સંશોધન બિલને લઈને મુસ્લિમ સંગઠનની બેઠકમાં હોબાળો થયો હતો. વાસ્તવમાં, બેઠકમાં કેટલાક લોકોએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપવો જોઈએ કે જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેમના સાંસદો ગૃહમાં કેમ ન હતા? ઉદ્ધવ જૂથના કેટલાક મુસ્લિમ સમર્થકો આને લઈને ગુસ્સે થયા અને કહ્યું કે તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ, જેના પર ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન AIMIMના નેતા વારિસ પઠાણે પણ ઉદ્ધવ જૂથના સાંસદો પર સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે રાજકારણ વધુ ગરમાયું છે.

uddhav thackeray shiv sena maha vikas aghadi congress maharashtra news maharashtra political crisis maharashtra mumbai news mumbai