આજે ઘાટકોપરના બધા જ જૈન સંઘોની રથયાત્રા

15 September, 2024 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રથયાત્રામાં બાદ દરેક સંઘમાં સવારે ૧૧ વાગ્યાથી સ્વામીવાત્સલ્યની વ્યવસ્થા રાખવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

આજે ઘાટકોપરના બધા જ જૈન સંઘોની રથયાત્રા ઘાટકોપરના રાજમાર્ગો પરથી પસાર થશે. આ રથયાત્રામાં ઘાટકોપરના વિવિધ સંઘોમાં બિરાજમાન સાધુભગવંતો હાજરી આપશે. આ રથયાત્રા સવારના આઠ વાગ્યે ઘાટકોપર-વેસ્ટના સંઘાણી એસ્ટેટ જૈન સંઘમાંથી નીકળીને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર થઈને કામા લેનના મુનિસુવ્રત જૈન દેરાસરથી મહાત્મા ગાંધી રોડ પરથી ઘાટકોપર-ઈસ્ટના રાજમાર્ગો પર ફરશે. આ રથયાત્રામાં ભગવાનના રથ સાથે ભગવાન મહાવીરસ્વામીના પારણાનો અને ત્રિશલા માતાનાં ૧૪ સપનોનાં દર્શન કરવાનો લોકોને લાભ મળશે. રથયાત્રામાં બાદ દરેક સંઘમાં સવારે ૧૧ વાગ્યાથી સ્વામીવાત્સલ્યની વ્યવસ્થા રાખવામાં આવી છે.

mumbai news mumbai jain community gujaratis of mumbai