મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મુંબઈ તરફની પનવેલ એક્ઝિટ છ મહિના બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો

14 February, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કળંબોલી સર્કલ પર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) દ્વારા નવા ફ્લાયઓવર અને અન્ડરપાસ બનાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કળંબોલી સર્કલ પાસે બાંધકામની શરૂઆત થવાની હોવાથી મુંબઈ-પુણે એક્સપ્રેસવેની પુણેથી મુંબઈ તરફની પનવેલ એક્ઝિટને છ મહિના સુધી બંધ કરી દેવાની જાહેરાત નવી મુંબઈ ટ્રૅફિક પોલીસે કરી હતી, પણ કોઈ પણ નિયોજન વગરની આ જાહેરાતને લીધે મંગળવારે સવારે ધસારાના સમયે દોઢ કલાક સુધી ટ્રૅફિક જૅમ થઈ જતાં આ એક્ઝિટ બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. કળંબોલી સર્કલ પર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) દ્વારા નવા ફ્લાયઓવર અને અન્ડરપાસ બનાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પનવેલ એક્ઝિટ બંધ કરી દેવાથી પનવેલ, મુમ્બ્રા અને જેએનપીટી તરફનાં હળવાં અને ભારે વાહનોની અવરજવરને અસર થતી હોવાથી જાહેરાતના પહેલા જ દિવસે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

mumbai news mumbai mumbai pune expressway mumbai traffic