30 July, 2024 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્યોના અપાત્રતાના મામલામાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં શરદ પવાર જૂથે પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે અજિત પવાર અને તેમની સાથેના NCPના ૪૧ વિધાનસભ્યોને તમને શા માટે અપાત્ર ન ઠેરવવામાં આવે એનો જવાબ આપવાની નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. આ મામલાની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં આ મામલાનો ચુકાદો લાવવામાં આવે એવી માગણી શરદ પવાર જૂથે કોર્ટમાં કરી છે.