23 October, 2024 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓની સુરક્ષા જોખમાતી હોવાથી ૨૩ ઑક્ટોબરથી મુંબઈ પોલીસે એક મહિના માટે મુંબઈમાં આકાશ કંદીલના વેચાણ પર, એનો સ્ટૉક કરવા પર અને એ ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મુંબઈ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ આ પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યો છે. દિવાળીના સમયે ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાતે મીણબત્તી ગોઠવીને ઉડાડી દેવામાં આવતાં કંદીલ જે મોટા ભાગે ચાઇનાથી આવે છે એ ખૂબ જોવા મળે છે, એના પર પ્રતિબંધ મૂકી દીધો છે.