મુંબઈમાં એક મહિનો આકાશ કંદીલ ઉડાડવા પર પ્રતિબંધ

23 October, 2024 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ આ પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરાઓની સુરક્ષા જોખમાતી હોવાથી ૨૩ ઑક્ટોબરથી મુંબઈ પોલીસે એક મહિના માટે મુંબઈમાં આકાશ કંદીલના વેચાણ પર, એનો સ્ટૉક કરવા પર અને એ ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મુંબઈ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ આ પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યો છે. દિવાળીના સમયે ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાતે મીણબત્તી ગોઠવીને ઉડાડી દેવામાં આવતાં કંદીલ જે મોટા ભાગે ચાઇનાથી આવે છે એ ખૂબ જોવા મળે છે, એના પર  પ્રતિબંધ મૂકી દીધો છે.

mumbai news mumbai diwali Crime News mumbai police