બે પોલીસને ૫૧-૫૧ હજાર રૂપિયાનું ઇનામ આપશે

25 September, 2024 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય શિંદેનું એન્કાઉન્ટર કરનારી પોલીસની પીઠ થાબડી શર્મિલા રાજ ઠાકરેએ

શર્મિલા ઠાકરે

બદલાપુરની સ્કૂલમાં બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નરાધમ અક્ષય શિંદેનું સોમવારે પોલીસના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ રાજ ઠાકરેનાં પત્ની શર્મિલાએ પોલીસની પીઠ થાબડી છે અને ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ વિશે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના થાણેના જિલ્લાધ્યક્ષ અવિનાશ જાધવે કહ્યું હતું કે ‘અક્ષય શિંદેનું એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી સંજય શિંદે અને નીલેશ મોરેને શર્મિલા ઠાકરેએ ૫૧-૫૧ હજાર રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. રૂપિયા મહત્ત્વના નથી, પણ આરોપી હોવા છતાં પોલીસ પર ફાયરિંગ કરનારાને આવો જ જવાબ આપવો જોઈએ. જે થયું એ યોગ્ય જ થયું છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે અમારી સરકાર હોત તો માસૂમ બાળકીઓ પર નજર બગાડનારા અક્ષય શિંદેનું એન્કાઉન્ટર જ કર્યું હોત. આથી આ ઘટનાનું અમે સમર્થન કરીએ છીએ.’

mumbai news mumbai raj thackeray badlapur mumbai police sexual crime