રતન તાતાની બગડી તબિયત, આઇસીયુમાં કરાયા દાખલ

07 October, 2024 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ratan Tata Hospitalized: મુંબઈની બ્રિચ કેન્ડી હૉસ્પિટલમાં એડમિટ છે રતન તાતા

રતન તાતાની ફાઇલ તસવીર

જાણીતા સામાજિક કાર્યકર અને ટાટા સન્સ (Tata Sons)ના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટા (Ratan Naval Tata)ને મુંબઈ (Mumbai)ની બ્રીચ કેન્ડી હૉસ્પિટલ (Breach Candy Hospital)ના આઇસીયુ (ICU)માં દાખલ કરાયા છે. સોમવારે વહેલી સવારે તેમને હૉસ્પિટલ ના ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં (Ratan Tata Hospitalized) આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

રતન તાતા (Ratan Tata)ને આજે વહેલી સવારે બ્રિચ કેન્ડી હૉસ્પિટલ (Breach Candy Hospital)માં લઈ જવામાં આવ્યા હતા. હૉસ્પિટલ સાથે સંકળાયેલા સૂત્રોએ પુષ્ટિ કરી કે રતન તાતાને ગંભીર હાલતમાં લગભગ મધરાતે ૧ વાગ્યે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

રતન તાતાનું બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું અને તેમને તાત્કાલિક બ્રિચ કેન્ડી હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવા પડ્યા હતા. પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શારુખ અસ્પી ગોલવાલાના નેતૃત્વમાં નિષ્ણાતોની એક ટીમ હૉસ્પિટલમાં તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.

આજે રતન તાતાની તબિયતના સમાચાર સાંભળીને તેમના ચાહકો ખુબ ચિંતામાં છે. તેમના જલ્દી સાજા થવાની રાહ જોઈ રહ્યાં છે. તેમજ ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે રતન તાતા જલ્દી સાજા થઈ જાય.

રતન તાતા વિશે જાણવા જેવુંઃ

૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ બોમ્બે, ભારતમાં જન્મેલા, રતન તાતા ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી તાતાના પ્રપૌત્ર છે. તેઓ ૧૯૯૦ થી ૨૦૧૨ સુધી સમૂહના અધ્યક્ષ હતા અને ઓક્ટોબર ૨૦૧૬ થી ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી વચગાળાના અધ્યક્ષ હતા. રતન તાતા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટનું નેતૃત્વ કરી રહ્યા છે.

વર્ષ ૧૯૯૧માં જ્યારે જેઆરડી તાતાએ ટાટા સન્સના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ત્યારે તેમણે રતન તાતાને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા. તેમને ઘણી કંપનીઓના વડાઓ તરફથી સખત પ્રતિકારનો સામનો કરવો પડ્યો જેમણે તેમની સંબંધિત કંપનીઓમાં દાયકાઓ ગાળ્યા હતા. તાતાએ નિવૃત્તિની ઉંમર નક્કી કરીને તેમને બદલવાનું શરૂ કર્યું. તેમણે આગળ દરેક કંપની માટે ગ્રુપ ઓફિસમાં રિપોર્ટ કરવાનું ફરજિયાત બનાવ્યું. તેમના નેતૃત્વ હેઠળ, ટાટા સન્સની ઓવરલેપિંગ કંપનીઓને સુવ્યવસ્થિત કરવામાં આવી હતી. તેમના ૨૧ વર્ષના કારભારીપદ દરમિયાન, આવકમાં ૪૦ ગણો વધારો થયો અને નફો ૫૦ ગણો થયો. તેમણે ટેટલીને હસ્તગત કરવા માટે ટાટા ટી, જગુઆર લેન્ડ રોવરને હસ્તગત કરવા માટે ટાટા મોટર્સ અને કોરસને હસ્તગત કરવા માટે ટાટા સ્ટીલ મેળવી, સંસ્થાને મોટા પ્રમાણમાં ભારત-કેન્દ્રિત જૂથમાંથી વૈશ્વિક બિઝનેસમાં ફેરવી દીધું. તેમણે ટાટા નેનો કારની કલ્પના પણ કરી હતી. આ કાર સરેરાશ ભારતીય ઉપભોક્તાની પહોંચની અંદર હોય તેવી કિંમતે મર્યાદિત હતી.

એટલું જ નહીં, રતન તાતા તેમના સામાજીક કાર્યો અને પ્રેમાળ તેમજ દયાળુ સ્વભાવ માટે પણ જાણીતા છે. શિક્ષણ, દવા અને ગ્રામીણ વિકાસના સમર્થક હોવાને કારણે રતન તાતાએ અનેક સંસ્થાઓને ટેકો આપ્યો છે.

ratan tata breach candy hospital tata tata steel tata power tata motors mumbai mumbai news