Ratan Naval Tata: ટાટા જગતનો સૂર્યાસ્ત, 86ની વયે વિશ્વને કહ્યું અલવિદા

10 October, 2024 12:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ ચૅરમેન રતન નવલ ટાટાનું નિધન થયું છે. ટાટા સન્સના ચૅરમેન એન ચંદ્રશેખરન તરફથી મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેમના નિધનના સામાચાર જાહેર કરવામાં આવ્યા છે.

રતન ટાટા (ફાઈલ તસવીર)

ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ ચૅરમેન રતન નવલ ટાટાનું નિધન થયું છે. ટાટા સન્સના ચૅરમેન એન ચંદ્રશેખરન તરફથી મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેમના નિધનના સામાચાર જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સતત રતન ટાટા મુંબઈની બ્રિચ કેન્ડી હૉસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં છે તેવા સમાચાર આવી રહ્યા હતા પણ ટાટા સન્સના ચૅરમેન તરફથી તાજેતરમાં તેમના નિધનના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે.

સોમવારે અફવાઓને આપ્યો રદિયો
આ પહેલા સોમવારે એટલે કે 7 ઑક્ટોબર 2024ના રોજ રતન ટાટાની તબિયત બગડવાના સમાચાર સામે આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ છે. જો કે, આ સમાચારને અફવા જાહેર કરતા રતન ટાટાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ `એક્સ` પર લખ્યું હતું - "આ દાવા નિરાધાર છે. હું ઉંમર સંબંધિત બીમારીઓને કારણે હાલ મેડિકલ તપાસ કરાવી રહ્યો છું. ચિંતાની કોઈ બાબત નતી. હું બરાબર છું. ટાટાએ જનતા અને મીડિયાને અરજી કરી કે તે ખોટી માહિતી ન ફેલાવે. તેમણે કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી. હું સારા મૂડમાં છું." તેમણે લોકોને અને મીડિયાને રિક્વેસ્ટ કરી કે `ફેક ન્યૂઝ ફેલવતા` બચો.

અસિસ્ટન્ટ તરીકે જોડાયા ટાટા ગ્રુપ સાથે
રતન ટાટા સન્સના ચૅરમેન તરીકે માર્ચ 1991થી ડિસેમ્બર 2012 સુધી ટાટા સમૂહનું નેતૃત્વ કર્યું. વિદેશમાંથી ભણીને આવ્યા બાદ રતન ટાટા પહેલીવાર ટાટા ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ સાથે અસિસ્ટન્ટ તરીકે સામેલ થયા હતા. ત્યાર બાદ તેમણે કેટલાક મહિનાઓ સુધી જમશેદપુરમાં ટાટાના પ્લાન્ટમાં ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ પૂરી કરવાની સાથે જ રતન ટાટાએ પોતાની જવાબદારીઓ સંભાળવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ 2008માં રતન ટાટાને ભારત સરકાર દ્વારા દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1991માં બન્યા અધ્યક્ષ
નોંધનીય છે કે 1991માં રતન ટાટાને ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બન્યા બાદ રતન ટાટાએ ટાટા ગ્રુપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા. તેમણે જૂથનું નેતૃત્વ કર્યું, જેની સ્થાપના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા, 2012 સુધી કરવામાં આવી હતી. 1996 માં, ટાટાએ ટેલિકૉમ કંપની ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી અને 2004 માં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) બજારમાં સૂચિબદ્ધ થઈ.

ચેરમેન પદ છોડ્યા પછી, ટાટાને ટાટા સન્સ, ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના માનદ ચેરમેનનું બિરુદ આપવામાં આવ્યું.

અબજોપતિ ઉદ્યોગપતિ અને ઉદાર વ્યક્તિત્વ
અબજોપતિ ઉદ્યોગપતિ અને ખૂબ જ ઉદાર વ્યક્તિ રતન ટાટાએ 86 વર્ષની વયે આજે વિશ્વને અલવિદા કહી દીધું છે. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ 1991થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા. જો આપણે રતન ટાટાના વ્યક્તિત્વ પર નજર નાંખીએ તો, તેઓ માત્ર એક ઉદ્યોગપતિ જ નથી, પણ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ રહ્યા. તેઓ તેમના ગ્રુપ સાથે જોડાયેલા નાનામાં નાના કર્મચારીઓને પણ પોતાનો પરિવાર માનતા અને તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતા નહીં, આના ઘણા ઉદાહરણો છે.

ratan tata tata tata steel tata power tata motors tata institute of social sciences tata memorial hospital breach candy hospital breach candy mumbai news mumbai business news