19 June, 2024 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વરસાદ ખેંચાઈ જતાં એની અસર શાકભાજીના ઉત્પાદન પર પડી છે. નવો ફાલ આવતાં વાર લાગશે એટલે હાલ જે તૈયાર શાકભાજી છે એનો જ સ્ટૉક હોવાથી માર્કેટમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. એના કારણે શાકભાજીની અછત સર્જાતાં જે શાકભાજી માર્કેટમાં આવી રહી છે એ મોંઘા ભાવે વેચાઈ રહી છે.
ગઈ કાલે નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની શાકમાર્કેટમાં ૪૬૭ ગાડીની આવક થઈ હતી. ફણસી ૮૦-૧૦૦ રૂપિયા, ગુવાર ૭૦-૯૦, વટાણા ૧૨૦-૧૫૦, ભીંડો ૪૪-૫૦, ચોળી ૨૪-૩૪, જાડી પાપડી ૭૦-૮૦ અને ટમેટાં ૩૨-૪૦ રૂપિયે કિલો હોલસેલમાં વેચાઈ રહ્યાં હતાં. રીટેલમાં એના દોઢથી બે ગણા પૈસા ચૂકવવા પડે છે.